પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી

Posted On: 15 OCT 2023 8:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

શ્રી મોદીએ તેમના નમ્ર સ્વભાવ અને વૈજ્ઞાનિક પ્રતિભાને યાદ કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર માટે ડૉ. કલામના અજોડ યોગદાનને હંમેશ માટે યાદ કરવામાં આવશે.

શ્રી નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કર્યું:

"ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, જેમને તેમના નમ્ર વર્તન અને અસાધારણ વૈજ્ઞાનિક પ્રતિભા માટે લોકો દ્વારા પ્રેમ કરવામાં આવ્યો હતો, તેમને તેમની જન્મજયંતી પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ. રાષ્ટ્ર નિર્માણમાં તેમના અનુપમ યોગદાનને હંમેશા આદર સાથે યાદ કરવામાં આવશે."

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1967830)