મંત્રીમંડળ સચિવાલય

રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)એ સિક્કિમમાં સ્થિતિની સમીક્ષા કરી

Posted On: 04 OCT 2023 7:52PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની આજે બેઠક મળી હતી અને સિક્કિમની સ્થિતિની સમીક્ષા કરી હતી.

સિક્કિમના મુખ્ય સચિવ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાયા હતા અને સમિતિને રાજ્યની તાજેતરની પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે સમિતિને રાહત અને બચાવનાં પગલાં લેવામાં રાજ્ય સરકારના પ્રયત્નો વિશે પણ માહિતગાર કર્યા. ગૃહ સચિવે સમિતિને માહિતી આપી હતી કે કેન્દ્ર સરકાર દ્વારા ઉચ્ચ સ્તરે પરિસ્થિતિ પર 24x7 નજર રાખવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલય (એમએચએ)ના બંને કંટ્રોલ રૂમ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ શક્ય મદદ કરવામાં આવી રહી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) એ પહેલેથી જ ત્રણ ટીમો તૈનાત કરી દીધી છે અને વધારાની ટીમો ગુવાહાટી અને પટનામાં સ્ટેન્ડબાય પર છે. રાજ્યને બચાવ અને પુન:સ્થાપનાના પ્રયત્નોમાં મદદ કરવા માટે આર્મી અને એરફોર્સની પૂરતી સંખ્યામાં ટીમો અને સંપત્તિ તૈનાત કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય એજન્સીઓ અને સિક્કિમ સરકારની રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરતા કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની ટનલમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને સ્થળાંતર કરવાની કામગીરી પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવામાં આવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એનડીઆરએફની વધારાની ટીમો તૈનાત કરવી જોઈએ તથા માર્ગ, ટેલિકોમ અને વીજળીની કનેક્ટિવિટી શક્ય તેટલા ઓછા સમયમાં પુનઃસ્થાપિત કરવી જોઈએ.

કેબિનેટ સચિવે સિક્કિમ સરકારને ખાતરી આપી હતી કે તમામ કેન્દ્રીય એજન્સીઓ તૈયાર છે અને સહાય માટે ઉપલબ્ધ રહેશે.

આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ, સિક્કિમના મુખ્ય સચિવ, ઊર્જા મંત્રાલય, સચિવ, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ, સચિવ, ડી/ઓ સૈન્ય બાબતો, સચિવ, દૂરસંચાર, સચિવ, ડી/ઓ જળ સંસાધન, આરડી અને જીઆર, એનડીએમએ, સીઆઈએસસી આઇડીએસ, ડીજી, આઇએમડી, ડીજી, એનડીઆરએફ અને ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD



(Release ID: 1964394) Visitor Counter : 110