પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ સિક્કિમના મુખ્યમંત્રી સાથે વાત કરી
સિક્કિમના ભાગોમાં દુર્ભાગ્યપૂર્ણ કુદરતી આફતના પગલે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
प्रविष्टि तिथि:
04 OCT 2023 3:41PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સિક્કિમના મુખ્યમંત્રી શ્રી પ્રેમ સિંહ તમંગ સાથે વાત કરી અને સિક્કિમના કેટલાક ભાગોમાં દુર્ભાગ્યપૂર્ણ કુદરતી આફતના પગલે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. તેમણે આ સ્થિતિમાં તમામ શક્ય સહયોગની ખાતરી પણ આપી છે.
શ્રી મોદીએ પણ તમામ અસરગ્રસ્તોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“સિક્કિમના સીએમ શ્રી @PSTamangGolay સાથે વાત કરી અને રાજ્યના ભાગોમાં કમનસીબ કુદરતી આફતને પગલે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરી. પડકારનો સામનો કરવા માટે શક્ય તમામ સહયોગની ખાતરી આપી. હું અસરગ્રસ્ત તમામની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.”
CB/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1964095)
आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Nepali
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam