પ્રધાનમંત્રીનું કાર્યાલય

રોજગાર મેળા હેઠળ, પ્રધાનમંત્રી શ્રી 26મી સપ્ટેમ્બરે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી કરાયેલા ઉમેદવારોને 51,000 જેટલા નિમણૂક પત્રોનું વિતરણ કરશે.


રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવા માટે પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે

ઓનલાઈન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા નવા નિમણૂક પામેલા લોકો ખુદ તાલીમ મેળવી શકશે

Posted On: 25 SEP 2023 2:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 26મી સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા લગભગ 51,000 નવા નિમણૂંક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે નવનિયુક્તોને પણ સંબોધિત કરશે.

રોજગાર મેળો દેશભરમાં 46 સ્થળોએ યોજાશે. આ પહેલને સમર્થન આપતા કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભરતી થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરાયેલા નવી ભરતી થયેલા ઉમેદવારો વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે. જેમાં પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ અને એકાઉન્ટ્સ વિભાગ, અણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય અને અન્યો  સમાવેશ થાય છે.

રોજગાર મેળો એ રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાની પરિપૂર્ણતા તરફનું એક પગલું છે. રોજગાર મેળા વધુ રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તીકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.

નવા નિમણૂક પામેલાઓને iGOT કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્યુલ, કર્મયોગી પ્રારંભ દ્વારા પોતાને તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં ‘ક્યાંય પણ કોઈપણ ઉપકરણ’ લર્નિંગ ફોર્મેટ માટે 680થી વધુ ઈ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1960406) Visitor Counter : 125