માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય

સ્વયંસંચાલિત પરીક્ષણ સ્ટેશનો દ્વારા પરિવહન વાહનોના ફરજિયાત પરીક્ષણની તારીખ લંબાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, હવે ફરજિયાત પરીક્ષણની તારીખ 1 ઓક્ટોબર, 2024 તરીકે સૂચિત કરવામાં આવી

Posted On: 21 SEP 2023 12:14PM by PIB Ahmedabad

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) 12 સપ્ટેમ્બર, 2023ના રોજ એક નોટિફિકેશન GSR 663 (E) બહાર પાડી છે, જે CMVR 1989ના નિયમ 175 મુજબ નોંધાયેલા સ્વચાલિત પરીક્ષણ સ્ટેશનો દ્વારા પરિવહન વાહનોના ફરજિયાત પરીક્ષણની તારીખને લંબાવવાની જોગવાઈ કરે છે.

ફરજિયાત પરીક્ષણની તારીખ હવે 1 ઓક્ટોબર, 2024 તરીકે સૂચિત કરવામાં આવી છે. તે પણ ફરજિયાત છે કે વાહનની ફિટનેસ ટેસ્ટ માત્ર ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો (આ નોટિફિકેશનના પ્રકાશનની અસરથી) દ્વારા જ હાથ ધરવામાં આવશે જ્યાં આ ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશનો નિયમ 175 હેઠળ નોંધાયેલા છે અને રજિસ્ટરિંગ ઑથોરિટીના અધિકારક્ષેત્રમાં કાર્યરત છે.

આ તારીખો અગાઉ 5 એપ્રિલ, 2022ના નોટિફિકેશન GSR 272(E) દ્વારા નીચે મુજબ સૂચિત કરવામાં આવી હતી: (i) ભારે માલસામાનના વાહનો/ભારે પેસેન્જર મોટર વાહનો માટે 01 એપ્રિલ, 2023થી અને તે પછીની અસરથી અને (ii) મધ્યમ માલસામાનના વાહનો/ મીડીયમ પેસેન્જર મોટર વ્હીકલ અને લાઇટ મોટર વ્હીકલ (પરિવહન) 01 જૂન, 2024 થી અને તે પછીથી અમલી.

ગેઝેટ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1959350) Visitor Counter : 120