પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિઝોરમમાં પુલ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ

Posted On: 23 AUG 2023 12:45PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિઝોરમમાં પુલ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ. અને ઘાયલોને 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી હતી..

પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યું;

મિઝોરમમાં પુલ દુર્ઘટનાથી વ્યથિત છું. જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના. બચાવ કામગીરી ચાલી રહી છે અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ આપવામાં આવી રહી છે.

દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રુપિયા એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે.  ઘાયલોને 50,000 રુપિયા આપવામાં આવશે: PM @narendramodi”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1951337) Visitor Counter : 114