પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લેહ નજીક એક દુર્ઘટનામાં ભારતીય સૈન્યના જવાનોના જીવ ગુમાવવા પર શોક વ્યક્ત કર્યો

Posted On: 19 AUG 2023 11:50PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લેહ નજીક એક દુર્ઘટનામાં ભારતીય સેનાના જવાનોના જીવ ગુમાવવા બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

એક X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

લેહ નજીકની દુર્ઘટનાથી દુઃખી છું જેમાં આપણે ભારતીય સેનાના જવાનો ગુમાવ્યા છે. રાષ્ટ્ર માટે તેમની સમૃદ્ધ સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલામાં વહેલી તકે સ્વસ્થ થઈ જાય: PM @narendramodi”

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1950556) Visitor Counter : 111