પ્રધાનમંત્રીનું કાર્યાલય
અમે દિવ્યાંગજનો માટે સુલભ ભારત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ: પીએમ નરેન્દ્ર મોદી
અમે અમારા દિવ્યાંગજનોને પેરાલિમ્પિકમાં પણ ભારતનો ત્રિરંગો લહેરાવવામાં સક્ષમ બનાવી રહ્યા છીએ, જેના માટે ખેલાડીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છેઃ પીએમ નરેન્દ્ર મોદી
प्रविष्टि तिथि:
15 AUG 2023 5:01PM by PIB Ahmedabad
77મા સ્વતંત્રતા દિવસના અવસર પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચી પરથી તેમના સંબોધનમાં કહ્યું કે વિશ્વકર્મા યોજના આગામી મહિનામાં વિશ્વકર્મા જયંતી પર શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ યોજના પરંપરાગત કૌશલ્ય ધરાવતા લોકો માટે છે એટલે કે જે લોકો ઓજારો અને હાથ વડે કામ કરે છે એટલે કે મોટાભાગે ઓબીસી સમુદાયમાંથી આવે છે, જેમ કે સુથાર, સુવર્ણકાર, પથ્થરના ચણતર, લોન્ડ્રી કરનારા લોકો, વાળ કાપનારા ભાઈઓ અને બહેનો, પરિવાર આવા લોકોને નવી શક્તિ આપવાનું કામ કરશે. આ યોજના લગભગ 13-15 હજાર કરોડ રૂપિયાના બજેટ સાથે શરૂ કરવામાં આવશે.
લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે દિવ્યાંગજનો માટે સુલભ ભારતનું નિર્માણ કરવા માટે કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે અમે દિવ્યાંગજનોને પેરાલિમ્પિકમાં પણ ભારતનો ત્રિરંગો ધ્વજ ફરકાવવા સક્ષમ બનાવી રહ્યા છીએ. જેના માટે ખેલાડીઓને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કહ્યું કે આજે ભારતમાં વસ્તી, લોકશાહી અને વિવિધતા છે. તેમણે કહ્યું કે વસ્તી, લોકશાહી અને વિવિધતાની આ ત્રિપુટીમાં ભારતના દરેક સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા છે.
CB/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1949291)
आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam