સહકાર મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 21 જુલાઈ, 2023ના રોજ નવી દિલ્હીમાં 'પ્રાઇમરી એગ્રિકલ્ચરલ ક્રેડિટ સોસાયટી (પીએસીએસ)ના માધ્યમથી સીએસસી સેવાઓની ડિલિવરી પર રાષ્ટ્રીય સેમિનાર'નું ઉદઘાટન કરશે


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયે સમગ્ર દેશમાં પીએસીએસને મજબૂત કરવા માટે કેટલીક પહેલો હાથ ધરી છે

પીએસીએસ દેશમાં સહકારી મંડળીઓની કરોડરજ્જુ છે, ગ્રામીણ વિસ્તારોમાં પીએસીએસ મારફતે સીએસસી સેવાઓની ડિલિવરીથી રોજગારની તકો વધશે

પીએસીએસ દેશની સહકારી ચળવળનો આધાર છે, અને તેથી જ મોદી સરકાર તેમની સધ્ધરતા સુધારવા માટે સતત પ્રયાસો કરી રહી છે

તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી સહકાર મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવેલા મોડેલ બાયલોઝ, પીએસીએસને 25 થી વધુ વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરીને તેના વ્યવસાયમાં વિવિધતા લાવવા માટે સક્ષમ બનાવશે

પીએસીએસને કોમન સર્વિસ સેન્ટર્સ તરીકે કામ કરવા, એફપીઓ બનાવવા, એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશિપ માટે અરજી કરવા, રિટેલ પેટ્રોલ/ડિઝલ પમ્પ આઉટલેટ્સ ખોલવા, જન ઔષધિ કેન્દ્રો અને ફર્ટિલાઇઝર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ તરીકે કામ કરવા સક્ષમ બનાવવામાં આવ્યા છે.

પીએસીએસ દ્વારા સીએસસી સેવાઓની ડિલિવરી તેમને મજબૂત કરવાની દિશામાં એક મોટું પગલું છે, જે પીએસીએસને દેશમાં કોમન સર્વિ

Posted On: 19 JUL 2023 5:10PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ 21 જુલાઈ, 2023નાં રોજ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે 'પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી (પીએસીએસ)નાં માધ્યમથી સીએસસી સેવાઓની ડિલિવરી પર રાષ્ટ્રીય સેમિનાર'નું ઉદઘાટન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. સહકાર મંત્રાલય હેઠળની નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનસીડીસી) સીએસસીના સહયોગથી આ સેમિનારનું આયોજન કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન પીએસીએસ દ્વારા સીએસસી સેવાઓને લગતા વિવિધ પાસાઓની ચર્ચા કરવામાં આવશે. અત્યાર સુધીમાં સીએસસી પોર્ટલ પર 17,000 પીએસીએસ ઓનબોર્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી 6,000 પીએસીએસએ સીએસસી તરીકે સેવાઓ આપવાનું શરૂ કરી દીધું છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ સહકાર મંત્રાલયે દેશભરમાં પીએસીએસને મજબૂત કરવા માટે અનેક પહેલો હાથ ધરી છે, જેનો લાભ દેશના કરોડો ખેડૂતોને મળશે. પીએસીએસ દેશમાં સહકારી મંડળીઓની કરોડરજ્જુ છે અને ગ્રામીણ વિસ્તારોમાં પીએસીએસ મારફતે સીએસસી સેવાઓની ડિલિવરી રોજગારીની તકોમાં વધારો કરશે. પીએસીએસ દેશની સહકારી ચળવળનો આધાર છે, અને તેથી જ મોદી સરકાર તેમની સધ્ધરતા સુધારવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. સહકાર મંત્રાલય દેશભરમાં પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટીઓ (પીએસીએસ)નું વિશાળ નેટવર્ક ધરાવે છે, જે ગ્રામજનોને ધિરાણ સેવાઓ પ્રદાન કરે છે.

મોદી સરકાર પ્રથમ વખત દેશમાં પીએસીએસના કોમ્પ્યુટરાઇઝેશન પર કામ કરી રહી છે. આ કવાયતનો હેતુ સિસ્ટમમાં પારદર્શિતા લાવવાનો અને પીએસીએસની નાણાકીય શિસ્તમાં સુધારો કરવાનો છે. પીએસીએસને મજબૂત કરવા માટે, મોદી સરકાર રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી, રાષ્ટ્રીય સહકારી નીતિ અને સહકારી ડેટાબેઝ બનાવી રહી છે. PACSને બહુહેતુક બનાવીને પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોની આવક વધારવાની દિશામાં એક મહત્વનું પગલું ભર્યું છે. બિયારણ, જૈવિક ખેતીના માર્કેટિંગ અને ખેડૂતોના ઉત્પાદનની નિકાસ માટે મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીઓની રચના કરવામાં આવી છે.

સહકાર મંત્રાલય દ્વારા તમામ હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી તૈયાર કરવામાં આવેલા મોડલ બાયલોઝ પીએસીએસને ડેરી, મત્સ્યપાલન, ગોડાઉન, કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ, વાજબી ભાવની દુકાનો, એલપીજી/ડીઝલ/પેટ્રોલ ડિસ્ટ્રિબ્યુટરશિપ વગેરે સહિત 25થી વધારે વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરીને તેના વ્યવસાયમાં વિવિધતા લાવવા સક્ષમ બનાવશે.

ઉપરાંત સંબંધિત મંત્રાલયો સાથે પરામર્શ કરીને પીએસીએસને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી), એફપીઓ રચવા, એલપીજી ડિસ્ટ્રિબ્યુટરશિપ માટે અરજી કરવા, રિટેલ પેટ્રોલ/ડિઝલ પમ્પ આઉટલેટ્સ, જન ઔષધિ કેન્દ્રો ખોલવા, ખાતર વિતરણ કેન્દ્રો તરીકે કામ કરવા વગેરે સક્ષમ બનાવવામાં આવ્યા છે. પીએસીએસ મારફતે સીએસસી સેવાઓની ડિલિવરી તેમને મજબૂત બનાવવાની દિશામાં એક મોટું પગલું છે, જે પીએસીએસને દેશમાં કોમન સર્વિસ સેન્ટર જેવી સુવિધાઓ પ્રદાન કરવાની મંજૂરી આપશે અને તેનો લાભ દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા કરોડો લોકો સુધી પહોંચશે. આ ગ્રામ્ય-સ્તરીય સહકારી ધિરાણ મંડળીઓ રાજ્ય સહકારી બેંકો (એસસીબી)ની અધ્યક્ષતામાં ત્રિ-સ્તરીય સહકારી ધિરાણ માળખામાં છેલ્લા માઇલની કડી તરીકે કામ કરે છે. પી..સી.એસ. વિવિધ કૃષિ અને ખેતી પ્રવૃત્તિઓ માટે ખેડૂતોને ટૂંકા ગાળાની અને મધ્યમ ગાળાની કૃષિ લોન પ્રદાન કરે છે.

આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી શ્રી બી. એલ. વર્મા, સહકાર મંત્રાલયના સચિવ, શ્રી જ્ઞાનેશ કુમાર, ઈલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયના સચિવ શ્રી અલ્કેશકુમાર શર્મા અને સીએસસી-એસપીવીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંજય રાકેશ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દરમિયાન 'પીએસીએસ દ્વારા સીએસસી સેવાઓની ડિલિવરી' પર એક ટૂંકી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

સીએસસી - એસપીવીએ સીએસસીના નેટવર્ક પર પીએસીએસ લાવવા માટે ઓડિશા સરકાર સાથે 2019માં પહેલ કરી હતી. 01મી સપ્ટેમ્બર, 2021ના રોજ, ઝારખંડ સરકારની વિનંતી પર, CSC -SPV PACS ને CSC નેટવર્કમાં એકીકૃત કરવા માટે રજિસ્ટ્રાર, ઝારખંડ સહકારી મંડળીઓ સાથે ભાગીદારીમાં પ્રવેશ કર્યો. 02મી ફેબ્રુઆરી, 2023ના રોજ, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી, શ્રી અમિત શાહ અને કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવની હાજરીમાં, PACS ને CSC દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ પ્રદાન કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત કરારના પ્રથમ તબક્કામાં, 63,000 PACSને CSC તરીકે કામ કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે, અને બીજા તબક્કામાં, અન્ય 30,000 PACSને તાલીમ આપવામાં આવશે.

કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી) મોદી સરકારના ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળના મુખ્ય કાર્યક્રમોમાંનો એક છે. અત્યારે દેશભરમાં 5,20,000થી વધારે સીએસસી ગ્રામીણ, અર્ધશહેરી અને શહેરી વિસ્તારોમાં ગ્રામીણ વસતિ માટે સરકારી અને જાહેર સેવાઓનાં ડિલિવરી પોઇન્ટ તરીકે કામ કરી રહ્યાં છે. સીએસસી ઈ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ એ સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ (સીએસસી એસપીવી) છે, જેની રચના કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)ના અમલીકરણ પર નજર રાખવા માટે ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (એમઇઆઇટીવાય) દ્વારા કંપની એક્ટ, 1956 હેઠળ વર્ષ 2009માં કરવામાં આવી હતી.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1940758) Visitor Counter : 167