પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી

પીએમ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઓડિશા જવા રવાના થયા

Posted On: 03 JUN 2023 1:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી છે. શ્રી મોદી પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા ઓડિશા જઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:

"પીએમ નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. સમીક્ષા બેઠકમાં અસરગ્રસ્તોના બચાવ, રાહત અને તબીબી સારવાર સંબંધિત પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.

"પીએમ નરેન્દ્ર મોદી ઓડિશા માટે રવાના થઈ રહ્યા છે જ્યાં તેઓ ટ્રેન દુર્ઘટનાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરશે."

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1929597) Visitor Counter : 161