પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશના ખરગોનમાં માર્ગ અકસ્માતને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

Posted On: 09 MAY 2023 11:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના ખરગોનમાં એક માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"ખરગોનમાં માર્ગ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. આ સાથે હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર દરેક સંભવિત રીતે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે: PM".

"PMNRF તરફથી મધ્યપ્રદેશના ખરગોનમાં બસ અકસ્માતમાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખનો એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે: PM".

 

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1922704) Visitor Counter : 163