ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ-2023ને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે CAPF અને NDRF કર્મચારીઓના આહારમાં બાજરી (શ્રી અન્ન)નો સમાવેશ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો


કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના આહ્વાન પર તમામ દળો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના આહારમાં 30% મિલેટ (શ્રી અન્ન)નો સમાવેશ

બાજરીના મહત્વને ઓળખીને અને તેના માટે સ્થાનિક અને વૈશ્વિક માંગ પેદા કરવા તેમજ લોકોને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવા માટે, સંયુક્ત રાષ્ટ્રએ ભારત સરકારની વિનંતી પર વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કર્યું છે

શ્રી અન્ન - પ્રોટીનનો સારો સ્ત્રોત, ગ્લુટેન ફ્રી, લો ગ્લાયકેમિક ઈન્ડેક્સ (જીઆઈ) અને ડાયેટરી ફાઈબર, સૂક્ષ્મ પોષકતત્ત્વો અને કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ વગેરે સહિત ફાઈટો-કેમિકલ્સથી સમૃદ્ધ એવો એક પૌષ્ટિક ખોરાક છે, જે તેને સૈનિકો અને સુરક્ષા દળોના કર્મચારીઓ માટે સર્વગ્રાહી ખોરાક બનાવે છે

શ્રી અન્નને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વિવિધ પ્રસંગો અને કાર્યોમાં પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાશે, તેમજ દળો બાજરીની વાનગીઓ તૈયાર કરતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા શ્રી અન્ન આધારિત વાનગીઓ તૈયાર કરવા માટે રસોઈયાને પણ તાલીમ આપશે

प्रविष्टि तिथि: 03 MAY 2023 4:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ-2023ને ધ્યાનમાં રાખીને, ગૃહ મંત્રાલયે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના કર્મચારીઓનાં આહારમાં બાજરી (શ્રી અન્ન)નો સમાવેશ કરવાનો અભૂતપૂર્વ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના આહ્વાન પર, તમામ દળો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના આહારમાં 30% બાજરી (શ્રી અન્ન)નો સમાવેશ કરવામાં આવ્યો છે.

બાજરીના મહત્વને ઓળખીને અને તેના માટે સ્થાનિક અને વૈશ્વિક માંગ પેદા કરવા તેમજ લોકોને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવા માટે, સંયુક્ત રાષ્ટ્રએ ભારત સરકારની વિનંતી પર વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું શ્રી અન્નને પ્રોત્સાહન આપવાનું અભિયાન કરોડો દેશવાસીઓના પોષણનો આધાર બનશે.

શ્રી અન્નને સ્વાસ્થ્ય માટે સારું, ખેડૂતો માટે ફાયદાકારક અને પર્યાવરણને અનુકૂળ માનવામાં આવે છે. ઊર્જાથી ભરપૂર, દુષ્કાળ પ્રતિરોધક, ઓછા પાણીની જરૂરિયાતવાળી સૂકી જમીન અને પહાડી વિસ્તારોમાં શ્રી અન્નની ખેતી સરળતાથી કરી શકાય છે અને તે જંતુઓના હુમલાથી પણ પ્રમાણમાં સુરક્ષિત છે. શ્રી અન્ન - પ્રોટીનનો સારો સ્ત્રોત, ગ્લુટેન ફ્રી, લો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) અને ડાયેટરી ફાઇબર, સૂક્ષ્મ પોષકતત્ત્વો અને કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ વગેરે સહિત ફાઇટો-કેમિકલ્સથી સમૃદ્ધ પૌષ્ટિક આહાર છે, જે તેને સૈનિકો અને સુરક્ષા દળોના કર્મચારીઓ માટે સર્વગ્રાહી ખોરાક બનાવે છે.

ગૃહ મંત્રાલયે તમામ દળોને શ્રી અન્ન પર આધારિત મેનૂ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે અને દળોએ તેનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. શ્રી અન્નને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના વિવિધ પ્રસંગો અને કાર્યોમાં પણ વ્યાપકપણે ઉપયોગમાં લેવાશે.

શ્રી અન્નના ઉપયોગને વધારવા માટે, કેન્દ્રીય પોલીસ કલ્યાણ ભંડારમાં અલગ-અલગ કાઉન્ટરો, કરિયાણાની દુકાનો અને દળોના પરિસરમાં રાશન સ્ટોર દ્વારા તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવશે. આ સાથે દળો દ્વારા બાજરીની વાનગીઓ બનાવતી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા શ્રી અન્ન આધારિત વાનગીઓ તૈયાર કરવા માટે રસોઈયાઓને પણ તાલીમ આપવામાં આવશે.

શ્રી અન્નના ઉપયોગ માટે દળોના કર્મચારીઓ અને તેમના પરિવારોમાં જાગૃતિ લાવવા માટે આહારશાસ્ત્રીઓ અને નિષ્ણાત એજન્સીઓની સેવાઓનો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત 'તમારા શ્રી અન્નને જાણો' વિષય પર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો, પ્રદર્શનો, સેમિનાર, વેબિનાર, વર્કશોપ અને સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે.

મિલેટ્સનું ઇન્ટરનેશનલ યર (IYOM) – 2023 માનવ ખોરાકના મુખ્ય ઘટક તરીકે શ્રી અન્નના વૈશ્વિક ઉત્પાદન, કાર્યક્ષમ પ્રક્રિયા અને પાકના પરિભ્રમણમાં વધારો તેમજ વધુ સારા ઉપયોગની સાથે સાથે તેને પ્રોત્સાહિત કરવાની તક પૂરી પાડશે.

YP/GP/JD


(रिलीज़ आईडी: 1921703) आगंतुक पटल : 305
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam