માહિતી અને પ્રસારણ મંત્રાલય
azadi ka amrit mahotsav

‘મન કી બાત’ ભારતને ભારત સાથે જોડે છે

આઈઆઈએમસી, નવી દિલ્હી દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભ્યાસમાં 76% મીડિયા વ્યક્તિઓએ અભિપ્રાય આપ્યા

63% લોકો યુટ્યુબ પર ‘મન કી બાત’ સાંભળવાનું પસંદ કરે છે

40% લોકો માટે, શિક્ષણ એ પ્રોગ્રામની સૌથી પ્રભાવશાળી થીમ છે

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે

प्रविष्टि तिथि: 29 APR 2023 12:19PM by PIB Ahmedabad

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન (IIMC) દ્વારા હાથ ધરવામાં આવેલા એક વિશેષ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 76% ભારતીય મીડિયા વ્યક્તિઓ માને છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' દેશવાસીઓને વાસ્તવિક ભારતનો પરિચય કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રોગ્રામે એક ટ્રેન્ડ શરૂ કર્યો છે જ્યાં લોકો હવે દેશના અન્ય ભાગોમાં વસ્તુઓ વિશે વધુ જાગૃત છે અને તેઓએ તેમની પ્રશંસા કરવાનું શરૂ કર્યું છે. 75% ઉત્તરદાતાઓ માને છે કે 'મન કી બાત' એક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે, જે ભારતના દૂરના વિસ્તારોમાં રહેતા લોકોના જીવનમાં નોંધપાત્ર તફાવત લાવવા માટે નિઃસ્વાર્થપણે કામ કરતા ગ્રાસ રૂટ ઈનોવેટર્સને રજૂ કરે છે.

આઈઆઈએમસીના મહાનિર્દેશક પ્રો. સંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર, અભ્યાસ સંસ્થાના આઉટરીચ વિભાગ દ્વારા 12 થી 25 એપ્રિલ, 2023 દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. મીડિયા સાથે સંકળાયેલી કુલ 890 વ્યક્તિઓ - મીડિયા વ્યક્તિઓ, મીડિયા ફેકલ્ટી, મીડિયા સંશોધકો અને મીડિયા વિદ્યાર્થીઓ. - દેશભરના 116 મીડિયા ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ અભ્યાસમાં ભાગ લીધો હતો. જેમાં 326 મહિલાઓ અને 564 પુરૂષો હતા. 66% ઉત્તરદાતાઓ 18 થી 25 વર્ષની વય જૂથના હતા.

ઉત્તરદાતાઓના મતે, ‘દેશ વિશે જ્ઞાનઅનેદેશ વિશે પીએમનું વિઝન બે મહત્ત્વના કારણો છે જે તેમને કાર્યક્રમ સાંભળવા માટે પ્રેરિત કરે છે. જ્યારે ઉત્તરદાતાઓને પૂછવામાં આવ્યું કે જો તેઓ કોઈ એપિસોડ ચૂકી જાય તો તેઓ પ્રોગ્રામ કેવી રીતે સાંભળે છે, તો 63% લોકોએ કહ્યું કે તેઓ અન્ય માધ્યમો કરતાં YouTube પસંદ કરે છે. 76% ઉત્તરદાતાઓને લાગે છે કે તેઓ 'મન કી બાત'માં વિવિધ મુદ્દાઓ પર પીએમ મોદીને સાંભળીને લોકશાહી પ્રક્રિયામાં સહભાગી છે.

પ્રો. દ્વિવેદીએ ધ્યાન દોર્યું હતું કે અભ્યાસમાં સમજવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી દ્વારામન કી બાતમાં કયા મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી તેનાથી લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. જવાબમાં, 40% ઉત્તરદાતાઓએ 'શિક્ષણ' નો ઉલ્લેખ કર્યો, જ્યારે 26% લોકોએ કહ્યું કે 'ગ્રાસ રૂટ ઈનોવેટર્સ વિશેની માહિતી' સૌથી પ્રભાવશાળી વિષય છે.

અભ્યાસમાં સમજવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો કે લોકોમન કી બાતમાં ચર્ચા કરાયેલા વિષયો વિશેની માહિતી કોની સાથે શેર કરે છે. 32% ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવેલા મુદ્દાઓ પર તેમના વિચારો શેર કરે છે, જ્યારે 29% લોકોએ જણાવ્યું હતું કે તેઓ તેમના મિત્રો અને સહકર્મીઓ સાથે વિષયો પર ચર્ચા કરે છે. અભ્યાસમાં એક અન્ય રસપ્રદ તથ્ય સામે આવ્યું છે કે 12% લોકો 'મન કી બાત' સાંભળવા માટે રેડિયો, 15% ટેલિવિઝન અને 37% ઈન્ટરનેટ આધારિત પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.

 

YP/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(रिलीज़ आईडी: 1920719) आगंतुक पटल : 264
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Assamese , Manipuri , Odia , Urdu , Marathi , Tamil