પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ચેન્નાઈ એરપોર્ટ પર નવું અદ્યતન ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ ચેન્નાઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ ઉમેરો થશે: પ્રધાનમંત્રી

Posted On: 06 APR 2023 11:26AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચેન્નાઈ એરપોર્ટ પર નવું અત્યાધુનિક ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગ ચેન્નાઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક મહત્વપૂર્ણ ઉમેરો હશે. શ્રી મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે તેનાથી કનેક્ટિવિટીને વેગ મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે.

એક ટ્વીટ થ્રેડમાં, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે માહિતી આપી હતી કે ચેન્નાઈ એરપોર્ટ પર નવા અદ્યતન ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન માનનીય પીએમ શ્રી નરેન્દ્ર મોદી 8મી એપ્રિલ 2023ના રોજ કરવાના છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા ટ્વીટનો જવાબ; પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"ચેન્નાઈના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ એક મહત્વપૂર્ણ ઉમેરો હશે. તેનાથી કનેક્ટિવિટીને વેગ મળશે અને સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થશે."

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1914167) Visitor Counter : 180