પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત તુર્કિયેના લોકો સાથે મજબૂતીથી ઊભું છે: પીએમ

Posted On: 10 FEB 2023 7:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત 'ઓપરેશન દોસ્ત' હેઠળ વધુમાં વધુ લોકોના જીવ બચાવવાનો પ્રયાસ કરતા રહેશે.

ભારતીય ટીમ તુર્કિયેમાં જે ભૂમિકા ભજવી રહી છે તેના સંબંધમાં MEA દ્વારા કરવામાં આવેલા ટ્વીટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું:

"ઓપરેશન દોસ્તના ભાગ રૂપે અમારી ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. વધુમાં વધુ લોકોના જીવન અને સંપત્તિને બચાવવા માટે તેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપતા રહેશે. આ નિર્ણાયક સમયમાં, ભારત તુર્કિયેના લોકો સાથે મક્કમતાથી ઊભું છે."

YP/GP/JD



(Release ID: 1898114) Visitor Counter : 138