કાયદો અને ન્યાય મંત્રાલય

વર્ષાંત સમીક્ષા: કાયદાકીય બાબતોનો વિભાગ

1 જાન્યુઆરીથી 5 ડિસેમ્બર, 2022ના સમયગાળા દરમિયાન વિભાગ દ્વારા સંસદના ગૃહોમાં રજૂ કરવા માટે/જાહેરાત કરવા માટેના વિધયેક/વટહુકમનો મુસદ્દો તૈયાર કરવા માટે વિવિધ મંત્રાલયો/વિભાગો સાથે પરામર્શ કરીને મંત્રીમંડળ/નવી કાયદાકીય દરખાસ્તો માટે 78 નોંધોની તપાસ કરવામાં આવી

આ સમયગાળા દરમિયાન 19 કાયદાકીય વિધેયક સંસદમાં રજૂ કરવા માટે મોકલવામાં આવ્યા હતા

2022 દરમિયાન વિવિધ ચૂંટણી સંબંધિત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો

Posted On: 29 DEC 2022 2:06PM by PIB Ahmedabad
  1. પૃષ્ઠભૂમિ

1.1 કાયદાકીય વિભાગ, જ્યાં સુધી કેન્દ્ર સરકારના કાયદાકીય કામકાજનો સંબંધ હોય ત્યાં સુધી મુખ્યત્વે સેવા પ્રદાતા તરીકે કામ કરે છે. તે વિવિધ મંત્રાલયો/વિભાગોની કાયદાકીય દરખાસ્તોની સમયસર પ્રક્રિયા કરવાનું સુનિશ્ચિત કરે છે. આ સંદર્ભમાં, સરકારના મંત્રાલયો/વિભાગોને કાયદા દ્વારા નીતિવિષયક ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરવામાં કાયદાકીય વિભાગ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવામાં આવે છે.

1.2 કાયદાકીય વિભાગના નિયંત્રણ હેઠળ આવતી કોઇ વૈધાનિક અથવા સ્વાયત્ત સંસ્થા નથી. કાયદાકીય વિભાગનું એક મુખ્ય સચિવાલય છે તે ઉપરાંત તેના અંતર્ગત બે પ્રશાખા આવે છે, જેના નામ, અધિકૃત ભાષા પાંખ અને વિધી સાહિત્ય પ્રકાશન છે, જે વિધેયકો, વટહુકમો, નિયમો, નિયમનોના હિન્દીમાં અનુવાદ માટે જવાબદાર છે; અને તે કાયદાના ક્ષેત્રમાં હિન્દી અને અન્ય સત્તાવાર ભાષાઓના પ્રચાર માટે જવાબદાર છે જે વિધાનસભા વિભાગ, બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત ભાષાઓમાં કેન્દ્રીય કાયદાઓના અનુવાદમાં રાજ્ય સરકારોને મદદ પૂરી પાડે છે.

  1. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા મહત્વના કાર્યો

1 જાન્યુઆરીથી 5 ડિસેમ્બર, 2022ના સમયગાળા દરમિયાન વિભાગ દ્વારા સંસદના ગૃહોમાં રજૂ કરવા માટે/જાહેરાત કરવા માટેના વિધયેક/વટહુકમનો મુસદ્દો તૈયાર કરવા માટે વિવિધ મંત્રાલયો/વિભાગો સાથે પરામર્શ કરીને મંત્રીમંડળ/નવી કાયદાકીય દરખાસ્તો માટે 78 નોંધોની તપાસ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 19 કાયદાકીય વિધેયક સંસદમાં રજૂ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સંસદમાં મોકલવામાં આવેલા વિધેયલોની યાદી નીચે મુજબ છે:-

 

01.01.2022 થી 28.11.2022 દરમિયાન રજૂ કરવા માટે સંસદમાં મોકલવામાં આવેલા વિધેયકો આ મુજબ છે

 

અનુ. નં.

શીર્ષક

  1. 1

ફાઇનાન્સ વિધેયક, 2022

  1. 2

બંધારણ (અનુસૂચિત જનજાતિ) આદેશ (સુધારા) વિધેયક, 2022

  1. 3

બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) આદેશો (સુધારા) વિધેયક, 2022

  1. 4

જમ્મુ અને કાશ્મીર એપ્રોપ્રિએશન વિધેયક, 2022

  1. 5

જમ્મુ અને કાશ્મીર એપ્રોપ્રિએશન (નં. 2) વિધેયક, 2022

  1. 6

એપ્રોપ્રિએશન વિધેયક, 2022

  1. 7

એપ્રોપ્રિએશન (નં. 2) વિધેયક, 2022

  1. 8

એપ્રોપ્રિએશન (નં. 3) વિધેયક, 2022

 

  1. 9

બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) આદેશો (બીજો સુધારો) વિધેયક, 2022

  1. 10

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારો) વિધેયક, 2022

  1. 11

ફોજદારી કાર્યવાહી (ઓળખ) વિધેયક, 2022

  1. 12

ભારતીય એન્ટાર્કટિક વિધેયક, 2022

  1. 13

સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ) સુધારો વિધેયક, 2022

  1. 14

ફેમિલી કોર્ટ (સુધારો) વિધેયક, 2022

  1. 15

કેન્દ્રીય યુનિવર્સિટીઓ (સુધારો) વિધેયક, 2022

  1. 16

ઉર્જા સંરક્ષણ (સુધારો) વિધેયક, 2022

  1. 17

સ્પર્ધા (સુધારો) વિધેયક, 2022

  1. 18

નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય લવાદ કેન્દ્ર (સુધારો) વિધેયક, 2022

  1. 19

વીજળી (સુધારો) વિધેયક, 2022

 

  1. સંસદ સમક્ષ જે વિધેયકો પડતર હતા અને જેને રજૂ કરવામાં આવ્યા છે તેવા વિધેયકોમાંથી 17 વિધેયકોને 1 જાન્યુઆરી, 2022 થી 28 નવેમ્બર, 2022 સુધીના સમયગાળા દરમિયાન કાયદામાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન ઘડવામાં આવેલા કાયદાઓની યાદી નીચે મુજબ છે:-

અમલમાં લાવવામાં આવેલા કાયદાઓ

અનુ. નં.

અધિનિયમનું શીર્ષક

1

એપ્રોપ્રિએશન (નં. 5) વિધેયક, 2021 (2022નો અધિનિયમ નંબર 1)

2

એપ્રોપ્રિએશન (નં. 2) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 2)

3

એપ્રોપ્રિએશન (નં. 3) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 3)

4

જમ્મુ અને કાશ્મીર એપ્રોપ્રિએશન વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 4)

5

જમ્મુ અને કાશ્મીર એપ્રોપ્રિએશન (નં. 2) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 5)

6

ફાઇનાન્સ વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 6)

7

એપ્રોપ્રિએશન વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 7)

8

બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ) આદેશો (સુધારા) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 8)

9

બંધારણ (અનુસૂચિત જનજાતિ) આદેશ (સુધારા) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 9)

10

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સુધારા) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 10)

11

ફોજદારી કાર્યવાહી (ઓળખ) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 11)

12

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ અને કંપની સેક્રેટરીઝ (સુધારા) વિધેયક, 2021 (2022નો અધિનિયમ નંબર 12)

13

ભારતીય એન્ટાર્કટિક વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 13)

14

સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ) સુધારો વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 14)

 

15

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી (સુધારા) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 15)

16

ફેમિલી કોર્ટ (સુધારો) વિધેયક 2022 (2022નો અધિનિયમ નંબર 16)

17

કેન્દ્રીય યુનિવર્સિટીઓ (સુધારા) વિધેયક, 2022 (2022નો અધિનિયમ નંબર 17)

 

III. ઉપરોક્ત ઉલ્લેખિત સમયગાળા દરમિયાન બંધારણના અનુચ્છેદ 240 હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા કુલ 5 નિયમનો જાહેર કરવામાં આવ્યા છે: -

જાહેર કરાયેલા નિયમનો

અનુ. નં.

નિયમનનું શીર્ષક

  1. 1

લક્ષદ્વીપ મૂલ્યવર્ધન કર નિયમન, 2022 (2022નું 1).

  1. 2

લક્ષદ્વીપ (જાહેર સેવાઓનો અધિકાર) નિયમન, 2022 (2022નું 2)

  1. 3

લક્ષદ્વીપ બિલ્ડિંગ ડેવલપમેન્ટ બોર્ડ (રદીકરણ) નિયમન, 2022 (2022નું 3)

  1. 4

લક્ષદ્વીપ સહકારી મંડળી નિયમન, 2022 (2022નું 4)

  1. 5

લક્ષદ્વીપ પંચાયત નિયમન, 2022 (2022નું 5)

 

IV. ગૌણ કાયદા

 

1 જાન્યુઆરી, 2022 થી 28 નવેમ્બર, 2022 સુધીના સમયગાળા દરમિયાન, આ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવેલા અને ચકાસણી કરાયેલા કાનૂની નિયમો, નિયમનો, આદેશો અને અધિસૂચનાઓની સંખ્યા 2098 હતી.

ચૂંટણી સંબંધિત કાયદા અને ચૂંટણી સંબંધિત સુધારા

આ સંદર્ભમાં, વર્ષ 2022 દરમિયાન વિવિધ ચૂંટણી સંબંધિત નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે, જેનો ભાવાર્થ નીચે મુજબ છે -

  1. ભારતના ચૂંટણી પંચની ભલામણના આધારે સરકારે 06 જાન્યુઆરી, 2022ની તારીખની અધિસૂચના નંબર S.G. 72(E) દ્વારા, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીના સંસદીય મતવિસ્તાર અને વિધાનસભા મતવિસ્તારના ઉમેદવાર દ્વારા ખર્ચની મહત્તમ મર્યાદા વધારવા માટે ચૂંટણી આચારસંહિતાના નિયમો, 1961માં સુધારો કર્યો છે. મોટા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સંદર્ભમાં, સંસદીય મતવિસ્તાર અને વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે આ રકમ રૂ. 77 લાખ અને રૂ. 30.8 લાખથી વધારીને અનુક્રમે રૂ. 95 લાખ અને રૂ. 40 લાખ કરવામાં આવી છે અને નાના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સંદર્ભમાં, સંસદીય મતવિસ્તાર અને વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીઓ માટે આ રકમ રૂ. 59.4 લાખ અને રૂ. 22 લાખથી વધારીને અનુક્રમે રૂ. 75 લાખ અને રૂ. 28 લાખ કરવામાં આવી છે.
  2. મતદારોની નોંધણી નિયમનો, 1960 માં તારીખ 17 જૂન, 2022ના રોજની અધિસૂચના નંબર S.O. 2802(E) સુધારો કરવામાં આવ્યો છે,  જે અન્ય બાબતોની સાથે સાથે નીચે ઉલ્લેખિત બાબતોની પરિકલ્પના કરે છે -
  1. લૈંગિક સમાનતા અને સર્વસમાવેશકતાની આપણી ચૂંટણીઓના આચરણની પ્રતિબદ્ધ નીતિને અનુરૂપ કાયદાઓને લિંગ બાબતે તટસ્થ બનાવવા;
  2. ફોર્મ 1, 2, 2A, 3, 6, 6B, 7, 8, 11, 18, 19 માં સુધારો કરીને મતદાર યાદીમાં વિગતોના સમાવેશ/સુધારા/દાવાઓ/વાંધાઓની પ્રક્રિયાને વધુ સર્વસમાવેળી અને વ્યાપક બનાવવી.
  1. મતદારોની નોંધણી નિયમનો, 1960 માં 26 ઓક્ટોબર, 2022ના રોજ અધિસૂચના નંબર S.O. 5038(E) દ્વારા સુધારો કરવામાં આવ્યો છે, જે મતદાર યાદીમાં નોંધણી માટે બહુવિધ પાત્રતાની તારીખો સુનિશ્ચિત કરવા માટે છે, જે મતદારોના આધારનું વિસ્તરણ કરશે અને તેના પરિણામે પાત્રતા ધરાવતા મતદારોની ચૂંટણી પ્રક્રિયામાં વધુ સહભાગીતા થશે.
  1. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ, 2019 અનુસાર, જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં સંસદીય અને વિધાનસભા મતવિસ્તારો માટે સીમાંકન કવાયત હાથ ધરવામાં આવી છે અને 20 મે, 2022ના રોજ બહાર પાડવામાં આવેલી અધિસૂચના નંબર S.O. (E) 2223 દ્વારા તેને ભારતના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે.

કાયદાકીય મુસદ્દાની રચના અને સંશોધન સંસ્થા (ILDR)

કાયદાકીય મુસદ્દો તૈયાર કરવો તે એક વિશિષ્ટ કામ છે જેમાં મુસદ્દો તૈયાર કરવાનું કૌશલ્ય અને નિપુણતાનો સમાવેશ થાય છે. તેમાં કાયદાઓ અંગેની ઊંડાણપૂર્વકની જાણકારી અને તેમાં નિયમિત ધોરણે થતા અપડેટ અંગેની માહિતી ઉપરાંત, કાયદાકીય મુસદ્દાની કુશળતાને આગળ વધારવા માટે નિરંતર અને ટકાઉક્ષમ પ્રયત્નો કરવા જરૂરી છે. કેન્દ્ર સરકારના અધિકારીઓ, રાજ્ય સરકારના સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રો કે જેઓ કાયદાકીય દરખાસ્તો પર કામ કરતા હોય છે તેમને અને કાયદાના વિદ્યાર્થીઓને કાયદાકીય મુસદ્દા તૈયારમાં યોગ્યતા અને કૌશલ્ય વિકસાવવા માટે તાલીમ અને અભિગમની જરૂર હોય છે.

  1. જાન્યુઆરી, 1989માં, દેશમાં કાયદાકીય દરખાસ્તોનો સામનો કરવા માટે તાલીમબદ્ધ અધિકારીઓ તેમજ તાલીમબદ્ધ કાનૂની કાઉન્સેલની ઉપલબ્ધતા વધારવાના ઉદ્દેશ સાથે, કાયદા અને ન્યાય મંત્રાલયના કાયદાકીય વિભાગની એક પાંખ (પ્રશાખા) તરીકે કાયદાકીય મુસદ્દાની રચના અને સંશોધન સંસ્થા (ILDR)ની સ્થાપના કરવામાં આવી હતી. ILDR તેની શરૂઆતથી જ, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારીઓને કાયદાકીય મુસદ્દા તૈયાર કરવાની સૈદ્ધાંતિક તેમજ વ્યવહારિક તાલીમ આપે છે.
  2. ILDR દર વર્ષે કાયદાકીય મુસદ્દાની રચનામાં એક મૂળભૂત અભ્યાસક્રમ અને એક એપ્રિસિએશન અભ્યાસક્રમનું આયોજન કરે છે જે નીચે મુજબ છે:
  1. મૂળભૂત અભ્યાસક્રમ ત્રણ મહિનાનો છે અને તે રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોના મધ્યમ સ્તરના અધિકારીઓ માટે છે;
  2. એપ્રિસિએશન અભ્યાસક્રમ 15 દિવસનો છે જે કેન્દ્ર સરકારના મંત્રાલયો/વિભાગો/સંલગ્ન/ગૌણ કચેરીઓ અને કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમોના મધ્યમ સ્તરના અધિકારીઓ માટે છે;
  3. કાયદાના વિદ્યાર્થીઓ માટે સ્વૈચ્છિક ઇન્ટર્નશિપ યોજના. આ યોજનાનો હેતુ વિદ્યાર્થીઓને કાયદાકીય ડ્રાફ્ટિંગ કૌશલ્યોમાં રુચિ પેદા કરવા માટે અને કાયદાકીય વિભાગની પ્રકૃતિ અને કામકાજ વિશે સુરક્ષિત જ્ઞાન મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. સ્વૈચ્છિક ઇન્ટર્નશિપ યોજના કાયદાનો અભ્યાસ કરી રહેલા એવા વિદ્યાર્થીઓ માટે ઘડી કાઢવામાં આવી છે જેઓ ત્રણ વર્ષના LLB અભ્યાસક્રમના ત્રીજા વર્ષમાં અથવા પાંચ વર્ષના LLB અભ્યાસક્રમના ચોથા કે પાંચમા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, જે ચારથી છ અઠવાડિયા સુધીની છે. ઉપરોક્ત યોજના વર્ષ 2013 થી શરૂ કરવામાં આવી છે. કોવિડ – 19 સંબંધિત તમામ પ્રતિબંધો અને સામાજિક અંતરના ધોરણો સાથે સ્વૈચ્છિક ઇન્ટર્નશિપ યોજના જુલાઇ, 2022થી ફરીથી શરૂ કરવામાં આવી છે.

 

  1. રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રના તમામ અધિકારીઓ અને રાજ્ય વિધાનસભાના અધિકારીઓ માટે 16 ઑગસ્ટ, 2022 થી 15 સપ્ટેમ્બર, 2022 દરમિયાન કાયદાકીય ડ્રાફ્ટની રચનાનો એક મહિનાનો તાલીમ અભ્યાસક્રમ યોજવામાં આવ્યો હતો.

ઇન્ડિયા કોડ ઇન્ફોર્મેશન સિસ્ટમ (ICIS)

દર વર્ષે ધારાસભા દ્વારા સંખ્યાબંધ કાયદાઓ (મુખ્ય અધિનિયમો અને સુધારા અધિનિયમો બંને) પસાર કરવામાં આવે છે અને ન્યાયતંત્ર, વકીલો તેમજ નાગરિકો માટે જરૂરી હોય ત્યારે સંબંધિત અને નવીનતમ અધિનિયમોનો સંદર્ભ લેવો એ મુશ્કેલ કાર્ય છે. એક જ જગ્યાએ અને સૌના માટે ખુલ્લો હોય તેવો તમામ અધિનિયમો અને સુધારાઓનો એક સંપૂર્ણ ભંડાર તૈયાર આનો ઉકેલ લાવી શકાય છે. તમામ અધિનિયમો અને તેમના ગૌણ કાયદાઓ (સમય સમય પર બનેલા)નો એવો કેન્દ્રીય ભંડાર એક જ જગ્યાએ તૈયાર કરવાની જરૂરિયાત અનુભવવામાં આવી છે, જે તમામ હિતધારકો માટે સરળતાથી સુલભ હોવો જોઇએ, જેથી જ્યારે પણ જાહેર જનતા, વકીલો, ન્યાયધીશો વગેરેને જરૂર પડે ત્યારે આવા કાયદાઓ અપ-ટુ-ડેટ સ્વરૂપમાં તમામ હિતધારકો માટે સુલભ હોય અને ખાનગી પ્રકાશકોને અપડેટ કાયદાઓ પોતાના કોપીરાઇટ કરેલા કાર્ય તરીકેનો દાવો કરીને પ્રકાશિત કરતા તેમજ સામાન્ય લોકો પાસેથી તેના બદલામાં ભારે કિંમત વસુલીને તેમનું શોષણ કરતા રોકી શકાય. વાસ્તવમાં, ઇન્ટરનેટ પર ઇન્ડિયા કોડ (ભારતીય સંહિતા) ઉપલબ્ધ કરાવવામાં આવે તેની પાછળનું સૌથી મહત્વપૂર્ણ કારણ આ જ છે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, કાયદા અને ન્યાય મંત્રાલયના માર્ગદર્શન હેઠળ NIC ની મદદથી, કેન્દ્ર અને રાજ્યના તમામ કાયદાઓ અને સાથે તેના તમામ સંલગ્ન ગૌણ કાયદાઓને સમાવીને એક વન સ્ટોપ ડિજિટલ ભંડાર તરીકે ઇન્ડિયા કોડ ઇન્ફોર્મેશન સિસ્ટમ (ICIS) તૈયાર કરવામાં આવી છે. તમામ નાગરિકોના કાયદાકીય સશક્તિકરણ તેમજ વન નેશન - એક પ્લેટફોર્મના ઉદ્દેશ્યમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા, વકીલો, ન્યાયાધીશો અને અન્ય તમામ રસ ધરાવતા પક્ષકારો દ્વારા જ્યારે જરૂર હોય ત્યારે તેમને નવીનતમ અને અપડેટ કરેલા ફોર્મેટમાં ભારતના તમામ અધિનિયમો અને કાયદાઓનો વન સ્ટોપ સંગ્રહ પ્રદાન કરવાનો છે. આજની તારીખ સુધીમાં, વર્ષ 1836 થી 2022 સુધીના કેન્દ્રીય કાયદાઓ, કુલ 888 કેન્દ્રીય અધિનિયમો અને વર્ષ 1834 થી 2020 સુધીના 3375 રીપિલ (રદીકરણ) કાયદાઓને અપડેટ કરવામાં આવ્યા છે અને સામાન્ય લોકો માટે ઇન્ડિયા કોડ પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યા છે.

વિધી સાહિત્ય પ્રકાશન

વર્ષ 1958માં, સંસદની રાજભાષાઓની સમિતિ દ્વારા ભલામણ કરવામાં આવી હતી કે ભારતની સર્વોચ્ચ અદાલત અને ઉચ્ચ અદાલતોના મહત્વપૂર્ણ ચુકાદાઓના અધિકૃત અનુવાદને બહાર લાવવાની વ્યવસ્થા કરવામાં આવે અને આ કામ કાયદાની દેખરેખ હેઠળ કેન્દ્રીય કાર્યાલયને સોંપવામાં આવે. વિભાગ. ત્યારબાદ, વર્ષ 1968માં કાયદાકીય વિભાગમાં હિન્દી સલાહકાર સમિતિની ભલામણો પર એક "જર્નલ વિંગ"ની સ્થાપના કરવામાં આવી હતી જેનો ઉદ્દેશ કાયદાકીય ક્ષેત્રમાં હિન્દીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો, જેને બાદમાં "વિધી સાહિત્ય પ્રકાશન" તરીકે ફરી નિયુક્ત કરવામાં આવી હતી.

વિધિ સાહિત્ય પ્રકાશને વર્ષ 1968માં "ઉચ્ચતમ ન્યાયાલય નિર્ણય પત્રિકા"ના નામ અને શૈલી હેઠળ સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓની હિન્દીમાં માસિક જર્નલનું પ્રકાશન શરૂ કર્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી, 1969માં ઉચ્ચ ન્યાયલય નિર્ણય પત્રિકાના નામ અને શૈલી હેઠળ ઉચ્ચ અદાલતોના ચુકાદાઓની બીજી માસિક હિન્દી જર્નલ શરૂ કરવામાં આવી હતી. વર્ષ 1987માં "ઉચ્ચ ન્યાયાલય નિર્ણય પત્રિકા"ને બે નિર્ણય પત્રિકાઓમાં વિભાજિત કરવામાં આવી હતી જેના નામ "ઉચ્ચ ન્યાયાલય નાગરિક નિર્ણય પત્રિકા" અને "ઉચ્ચ ન્યાયાલય દંડિક નિર્ણય પત્રિકા" રાખવામાં આવ્યા હતા તેમજ ઉપરોક્ત ત્રણેય પત્રિકાઓના પ્રકાશન ઉપરાંત, વિધી સાહિત્યે નીચેના કાર્યોની પણ શરૂઆત કરી હતી, જેમ કે:-

  1. કાયદાના ક્ષેત્રના વિવિધ વિષયો પર હિન્દીમાં ઉચ્ચ ધોરણના પાઠ્યપુસ્તકોનું પ્રકાશન;
  2. કાયદાના ક્ષેત્રમાં હિન્દીમાં શ્રેષ્ઠ પ્રકાશનો માટે વિવિધ ઇનામો આપવા;
  3. વિધી સાહિત્ય પ્રકાશનના હિન્દી પ્રકાશનો અને ડિગ્લોટ (દ્વીભાષીય) આવૃત્તિઓ કેન્દ્રીય અધિનિયમો, ભારતનું બંધારણ, કાનૂની શબ્દાવલિનું વેચાણ કરવું. હિન્દી Lyw ટેક્સ્ટ બ્રિન્ક્સ અને ચૂંટણી મેન્યૂઅલનું વેચાણ કરવું; અને
  4. સમગ્ર ભારતમાં પરિષદો, તાલીમ કાર્યક્રમો, પરિસંવાદો અને પુસ્તક પ્રદર્શનો યોજીને કાનૂની ક્ષેત્રમાં હિન્દીનો પ્રચાર અને પ્રસાર કરવો;

નીતિગત નિર્ણય:

વિધી સાહિત્ય પ્રકાશન ભારતના બંધારણના આદેશ, સંસદીય હિન્દી સમિતિની ભલામણો અને ભારતના આદરણીય રાષ્ટ્રપતિના આદેશો હેઠળ સંઘની રાજભાષા નીતિના અમલીકરણમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.

સિદ્ધિઓ:

  1. ડિજિટાઇઝેશન: વિધિ સાહિત્ય પ્રકાશન ડિજિટાઇઝેશનની પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોનિક મીડિયાના યુગમાં પ્રવેશ્યું છે જ્યાં ત્રણેય હિન્દી કાયદાના સામયિકોની હાર્ડ કોપી અને હિન્દીમાં પ્રમાણભૂત કાયદાના પાઠ્યપુસ્તકોને ઑનલાઇન વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ પ્રકાશને 2012 થી સામાન્ય માણસો, વકીલો, ન્યાયાધીશો, મુકદ્દમાના પક્ષકારો અને કાયદાના પ્રોફેસરો અને કાયદાના વિદ્યાર્થીઓ વગેરે માટે http://legisiative.gov.inividhi-sahitya પર કાયદાના ત્રણેય સામયિકોની સોફ્ટ કોપીઓ પણ ઑનલાઇન ઉપલબ્ધ કરાવી છે.
  2. વિધિ સાહિત્ય પ્રકાશને વિવિધ કાનૂની વિષયો પર પ્રમાણભૂત હિન્દી પાઠ્યપુસ્તકો પ્રકાશિત કર્યા છે જે જાણીતા લેખકો દ્વારા લખવામાં આવ્યા છે અને તે ભારત સરકારના કોપીરાઇટ હેઠળ છે.
  3. પરિસંવાદો/પ્રદર્શન/પરિષદોનું આયોજન અને ભારતના બંધારણના કાયદા, ડિગ્લોટ (દ્વીભાષા)માં કેન્દ્રીય અધિનિયમો (હિન્દી-અંગ્રેજી), કાનૂની શબ્દાવલિ, ચૂંટણી કાયદાનું મેન્યુઅલ, ઇન્ડિયા કોડ વગેરેના પુસ્તકોનું વેચાણ: કેન્દ્રીય અધિનિયમો અને કાયદાના પ્રકાશનોને ઑનલાઇન વેચાણ માટે https://bharatkosh.gov.in/ Product/Product/ પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જે ડિજિટલ ચુકવણી એટલે કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ વગેરે દ્વારા ચુકવણી કરીને મેળવી શકાય છે અને જો લિંક ઉપલબ્ધ હોય તો કાયદાકીય વિભાગના મુખ્ય પેજ પર તેના વેચાણને લિંક કરવામાં આવ્યા છે. 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ના ભાગરૂપે આમ કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી, 2022 થી 31 ઓક્ટોબર, 2022 ના સમયગાળા દરમિયાન વિધિ સાહિત્ય પ્રકાશનનો કુલ વેચાણનો આંકડો રૂ. 21,90,443/- (રૂપિયા એકવીસ લાખ, નેવું હજાર, ચારસો તેતાલીસ) છે.

YP/GP/JD

 

 



(Release ID: 1887352) Visitor Counter : 335