પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક પ્રવાસી વાહન ખીણમાં પડી જવાથી થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 26 SEP 2022 10:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક પ્રવાસી વાહન ખીણમાં પડતાં જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું કે ઘાયલોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઘાયલોના જલદી સાજા થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"હિમાચલ પ્રદેશના કુલ્લુમાં એક પ્રવાસી વાહન ખીણમાં પડી જવાની ઘટના ખૂબ જ દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે ઘાયલોને.તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે. હું તેમને ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવું છું: પીએમ"

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1862197) Visitor Counter : 149