ગૃહ મંત્રાલય

યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લેન્ડના મહારાણી એલિઝાબેથ દ્વિતિયના અવસાન પર 11મી સપ્ટેમ્બરના રોજ એક દિવસનો રાષ્ટ્રીય શોક

Posted On: 09 SEP 2022 1:46PM by PIB Ahmedabad

યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને ઉત્તરી આયર્લૅન્ડના મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું 8મી સપ્ટેમ્બર 2022ના રોજ અવસાન થયું. દિવંગત મહાનુભાવના આદર રૂપે, ભારત સરકારે નિર્ણય લીધો છે કે 11મી સપ્ટેમ્બરે સમગ્ર ભારતમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક મનાવાશે. 

શોકના દિવસે, ભારતભરમાં રાષ્ટ્રીય ધ્વજ જ્યાં નિયમિતપણે લહેરાવવામાં આવે છે તે તમામ ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએમાં લહેરાવામાં આવશે અને તે દિવસે કોઈ સત્તાવાર મનોરંજન થશે નહીં.

YP/GP/JD



(Release ID: 1858044) Visitor Counter : 245