રસાયણ અને ખાતર મંત્રાલય

ફાર્માસ્યુટિકલ્સ એન્ડ મેડિકલ ડિવાઈસીસ બ્યુરો ઓફ ઈન્ડિયા (PMBI), પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP) ની અમલીકરણ એજન્સીએ મે, 2022ના મહિનામાં પ્રથમ વખત રૂ. 100 કરોડના વેચાણને વટાવી દીધું છે


સરકારે માર્ચ 2024 સુધીમાં જનઔષધી કેન્દ્રોની સંખ્યા વધારીને 10,000 કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે

છેલ્લા 5 વર્ષમાં આ પરિયોજના હેઠળ સામાન્ય જનતાના 15,000 કરોડ રૂપિયાથી વધુની બચત કરવામાં આવી છે

Posted On: 31 MAY 2022 1:59PM by PIB Ahmedabad

સામાન્ય માણસ ખાસ કરીને ગરીબો માટે સસ્તા દરે ગુણવત્તાયુક્ત દવાઓ પૂરી પાડવાના વિઝન સાથે, સરકારે માર્ચ 2024 સુધીમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્રો (PMBJKs) ની સંખ્યા વધારીને 10000 કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. 31.05.2022 સુધી સ્ટોર્સની સંખ્યા વધીને 8735 થઈ ગઈ છે. PMBJP હેઠળ દેશના 739 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે.

A group of people standing in front of a signDescription automatically generated with medium confidence

PMBJKs પર આવશ્યક દવાઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા PMBI પ્રતિબદ્ધ છે. વર્ષ 2014-15માં રૂ. 8 કરોડના વાર્ષિક ટર્નઓવરથી શરૂ કરીને છેલ્લા 8 વર્ષની તેની સફરમાં, PMBI એ મે, 2022ના મહિનામાં રૂ. 100 કરોડનું સૌથી વધુ માસિક વેચાણ ટર્નઓવર કર્યું છે, જેના કારણે દેશના નાગરિકોના લગભગ 600 કરોડ રૂપિયાની બચત થઈ છે. મે, 2021માં કુલ વેચાણ રૂ. 83.77 કરોડ હતું અને તે કોવિડ-19ના બીજા લહેરનો સમયગાળો હતો. આ ઉમદા યોજનાના સરકારી હસ્તક્ષેપથી લોકો દવાઓ પરના તેમના ખિસ્સા બહારના ખર્ચમાં ઘટાડો કરી શક્યા છે. હાલમાં, આ કેન્દ્રો ન્યુટ્રાસ્યુટિકલ્સ, આયુષ ઉત્પાદનો અને સુવિધા સેનિટરી પેડ્સ સહિત 1600 થી વધુ દવાઓ અને 250 સર્જિકલ ઉપકરણો ઉપલબ્ધ કરાવે છે જે પેડ દીઠ રૂ. 1/-ના ભાવે વેચાય છે.

PMBJP હેઠળ, દેશના દરેક નાગરિકને જન ઔષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત જેનરિક દવાઓ પૂરી પાડવા માટે 406 જિલ્લાના 3579 બ્લોકને આવરી લેવા માટે નવી અરજીઓ પણ આમંત્રિત કરવામાં આવી છે. નાના શહેરો અને બ્લોક હેડક્વાર્ટરના રહેવાસીઓ હવે જન ઔષધિ કેન્દ્રો ખોલવાની તકનો લાભ લઈ શકશે. આ યોજના મહિલાઓ, SC/ST, પહાડી જિલ્લાઓ, દ્વીપીય જિલ્લાઓ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો સહિત વિવિધ શ્રેણીઓ માટે રૂ. 5 લાખ અને રૂ. 2 લાખ સુધીના વિશેષ પ્રોત્સાહનો પ્રદાન કરે છે. આનાથી દેશના ખૂણે-ખૂણે લોકો સુધી પોસાય તેવી દવાની સરળ પહોંચ સુનિશ્ચિત થશે.

તદનુસાર, PMBI એ ગુરુગ્રામ, ચેન્નાઈ, ગુવાહાટી અને સુરત ખાતે ચાર વેરહાઉસ સ્થાપીને સપ્લાય ચેઈન સિસ્ટમને મજબૂત બનાવી છે. વધુમાં, ભારતના દરેક ભાગમાં સમયસર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સમગ્ર ભારતમાં 39 વિતરકોનું મજબૂત ડિસ્ટ્રિબ્યુટર નેટવર્ક છે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1829734) Visitor Counter : 216