ગૃહ મંત્રાલય

નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ/એનકે, નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ/રિફોર્મેશન અને નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ/કે-ખાંગો સાથે યુદ્ધવિરામ કરાર આગળ ધપાવ્યો

Posted On: 20 APR 2022 9:52AM by PIB Ahmedabad

ભારત સરકાર અને નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ/એનકે (NSCN/NK), નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ/રિફોર્મેશન (NSCN/R) અને નેશનલ સોશ્યલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ/K-ખાંગો (NSCN/K-ખાંગો) વચ્ચે યુદ્ધવિરામ કરાર ચાલુ રહ્યા છે.

આ યુદ્ધવિરામ કરારને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. NSCN/NK અને NSCN/R સાથેનો આ યુદ્ધવિરામ કરાર 28 એપ્રિલ, 2022 થી 27 એપ્રિલ, 2023 સુધી અને NSCN/K-ખાંગો સાથે 18 એપ્રિલ, 2022 થી એપ્રિલ 17, 2023 સુધી અમલી રહેશે. આ કરારો પર 19 એપ્રિલ, 2022ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1818302) Visitor Counter : 168