ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, શ્રી અમિત શાહે આદરણીય સંત શ્રી રવિદાસજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેઓ સૌહાર્દ અને સંવાદિતાના પ્રતિક છે


સંત શ્રી રવિદાસજીએ પોતાના વિચારો અને રચનાઓથી સમાજમાં આધ્યાત્મિક ચેતના જગાડીને માનવજાતના કલ્યાણનો માર્ગ બતાવ્યો

તેમનો એકતા, સમાનતા અને કર્મની પ્રાધાન્યતાનો સંદેશ હંમેશા આપણને માર્ગદર્શન આપશે

સંત રવિદાસજીનું જીવન દરેક વ્યક્તિને સમાન અધિકાર અને ન્યાય આપીને સમાજને એક કરવા માટે સમર્પિત હતું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દરેક વર્ગને વિકાસમાં ભાગીદાર બનાવીને તેમના જીવનધોરણને ઉંચુ લાવવા માટે સતત કામ કરી રહી છે

Posted On: 16 FEB 2022 10:23AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે સંત શ્રી રવિદાસજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ટ્વીટ દ્વારા શ્રી અમિત શાહે કહ્યું કેહું સંવાદિતા અને સંવાદિતાના પ્રતિક એવા આદરણીય સંત શ્રી રવિદાસજીના ચરણોમાં તેમની જન્મજયંતી પર નમન કરું છું. તેમણે પોતાના વિચારો અને રચનાઓ દ્વારા સમાજમાં આધ્યાત્મિક ચેતના જાગૃત કરીને માનવજાતના કલ્યાણનો માર્ગ બતાવ્યો. તેમનો એકતા, સમાનતા અને કર્મની પ્રાધાન્યતાનો સંદેશ હંમેશા આપણને માર્ગદર્શન આપશે.

શ્રી શાહે કહ્યું કે સંત રવિદાસજીનું જીવન દરેક વ્યક્તિને સમાન અધિકાર અને ન્યાય આપીને સમાજને એક કરવા માટે સમર્પિત હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સંત રવિદાસજીના વિચારોને સાકાર કરીને દરેક વર્ગને વિકાસમાં ભાગીદાર બનાવી જીવનધોરણ ઊંચું લાવવા સતત કામ કરી રહી છે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1798725) Visitor Counter : 226