વહાણવટા મંત્રાલય
દરિયાકાંઠાના જળમાર્ગો દ્વારા નૂર પરિવહન
Posted On:
08 FEB 2022 2:23PM by PIB Ahmedabad
સરકાર દ્વારા જળમાર્ગ પરિવહનની સુવિધા આપવાના પ્રયાસોને કારણે આંતરદેશીય જળમાર્ગો (IWT) અને દરિયાકાંઠાના જળમાર્ગો દ્વારા નૂર પરિવહનમાં વધારો થયો છે. 2014-15 થી 2020-21 ના સમયગાળા દરમિયાન, રાષ્ટ્રીય જળમાર્ગો (NWs) સાથે જોડાયેલા દરિયાકાંઠાના જળમાર્ગો સહિત રાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા નૂર 2.76 ગણો વધ્યો છે.
2009-10 થી 2013-14 સુધી, રાષ્ટ્રીય જળમાર્ગો પર આંતરદેશીય જળમાર્ગ વૃદ્ધિનો દર 1.5% હતો. 2019-20ની સરખામણીમાં 2020-21માં વૃદ્ધિ દર 13.5% છે.
કેન્દ્રીય બંદરો, જહાજ નિર્માણ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
SD/GP/MR
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1796513)
Visitor Counter : 190