સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 160.43 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 70 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 93.50%

છેલ્લા 24 કલાકમાં 3,47,254 દૈનિક નવા કેસ નોંધાયા

અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 9,692 કેસ સામે આવ્યા; ગઈકાલથી તેમાં 4.36%નો વધારો

ભારતમાં સક્રિય કેસનું ભારણ (20,18,825)

સાપ્તાહિક પોઝિટિવિટી દર (16.56%)

Posted On: 21 JAN 2022 9:33AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 70 લાખ ( 70,49,779) રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 160.43 કરોડ (1,60,43,70,484)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.

જે 1,72,80,628 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. આજે સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ સંચિત આંકડાની માહિતીમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છેઃ

 

સંચિત વેક્સિન ડોઝ કવરેજ

HCWs

પ્રથમ ડોઝ

1,03,91,052

બીજો ડોઝ

98,02,401

Precaution Dose

24,43,673

FLWs

પ્રથમ ડોઝ

1,83,89,891

બીજો ડોઝ

1,71,04,055

સાવચેતી ડોઝ

22,78,810

15-18 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

3,96,06,464

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

53,13,79,742

બીજો ડોઝ

38,12,54,261

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,85,98,912

બીજો ડોઝ

16,44,76,409

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

12,37,54,315

બીજો ડોઝ

10,27,51,056

સાવચેતી ડોઝ

21,39,443

સાવચેતી ડોઝ

68,61,926

કુલ

1,60,43,70,484

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,60,58,806 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,51,777 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 93.50% થયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0014BNJ.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 3,47,254 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WVYN.jpg

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 20,18,825. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 5.23% છે,

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003EJ2L.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,35,912 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 71.15 કરોડથી વધારે (71,15,38,938) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 16.56% છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 17.94% નોંધાયો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XCL7.jpg

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1791370) Visitor Counter : 205