નાગરિક ઉડ્ડયન મંત્રાલય

ભારત સરકાર વર્તમાન એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના કર્મચારીઓને ગ્રેચ્યુઈટી અને પીએફ લાભ આપવાનું ચાલુ રાખશે

Posted On: 20 DEC 2021 2:36PM by PIB Ahmedabad

કર્મચારીઓના હિતોની સરકાર દ્વારા કાળજી લેવામાં આવી છે અને 25.10.2021ના રોજ વ્યૂહાત્મક ભાગીદાર સાથે હસ્તાક્ષર કરાયેલ શેર ખરીદી કરારમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

લાગુ કાયદા અનુસાર, સ્ટ્રેટેજિક પાર્ટનર, ડિસઇન્વેસ્ટમેન્ટ પછી, કર્મચારીઓને ગ્રેચ્યુટી અને પીએફ લાભો આપવાનું ચાલુ રાખશે. વર્તમાન એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના કર્મચારીઓ સેલ્ફ કોન્ટ્રીબ્યુટરી સુપરએન્યુએશન પેન્શન ફંડ ટ્રસ્ટના વહીવટ માટે કર્મચારીઓ અને ભારતીય જીવન વીમા નિગમ સાથેની વ્યવસ્થા ચાલુ રહેશે. વધુમાં, તબીબી લાભોના સંદર્ભમાં, તેઓ સરકાર દ્વારા નિવૃત્ત અને લાયક નિવૃત્ત AI લાભાર્થીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ માહિતી નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્ય મંત્રી (જનરલ ) ડૉ. વી.કે. સિંહે આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી. 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1783408) Visitor Counter : 179