સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 133.88 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 67 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.37%, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 5,784 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (88,993), 563 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.68%) 30 દિવસથી 1% કરતા ઓછો

Posted On: 14 DEC 2021 10:05AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 66,98,601 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 133.88 કરોડ (1,33,88,12,577)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,40,27,706 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,85,716

બીજો ડોઝ

96,00,597

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,83,175

બીજો ડોઝ

1,67,05,166

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

47,99,75,178

બીજો ડોઝ

27,39,51,712

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

18,99,59,003

બીજો ડોઝ

13,45,40,063

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

11,87,51,430

બીજો ડોઝ

8,65,53,818

કુલ

1,33,88,12,577

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,41,38,763 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 7,995 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.37% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002B14W.jpg

47 દિવસથી સતત 15,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 5,784 નવા કેસ નોંધાયા છે. જે 571 દિવસમાં સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003UOPT.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 88,993 છે, 563 દિવસમાં સૌથી ઓછા છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.26% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004H53P.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 9,50,482 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 65.76 કરોડથી વધારે (65,76,62,933) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.68% છે જે છેલ્લા 30 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.58% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 71 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 106 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005WNXY.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1781181) Visitor Counter : 249