મંત્રીમંડળ
azadi ka amrit mahotsav

કેન્દ્રીય મંત્રીમંડળે 01.07.2021ની અસરથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શન માટે મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો જારી કરવા મંજૂરી આપી


બેઝિક પે/પેન્શનના 28%ના હાલના દરમાં 3%નો વધારો

આનાથી લગભગ 47.14 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનર્સને લાભ થશે

મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે રાજકોષ પર અસર 9488.70 કરોડ રૂપિયા પ્રતિ વર્ષની થશે

प्रविष्टि तिथि: 21 OCT 2021 3:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનર્સને મોંઘવારી રાહત (ડીઆર)નો વધારાનો હપ્તો તા. 01.07.2021ની અસરથી જારી કરવા માટે મંજૂરી આપી છે. જેમાં મોંઘવારી સામે રાહત આપવા માટે બેઝિક પે/પેન્શનના હાલના 28%માં 3%નો વધારો કરવામાં આવ્યો છે.

આ વૃદ્ધિ સ્વીકૃત ફોર્મેટ અનુસાર છે, જે સાતમા કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે. મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના કારણે રાજકોષ પર સંયુક્ત પ્રભાવ 9488.70 કરોડ રૂપિયા પ્રતિ વર્ષ જેટલો થશે. તેનાથી લગભગ 47.14 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનર્સને ફાયદો થશે.

SD/GP/JD
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(रिलीज़ आईडी: 1765460) आगंतुक पटल : 461
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam