પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કેરળના મુખ્યમંત્રી સાથે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન વિશે વાતચીત કરી


પ્રધાનમંત્રીએ કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેટલાક લોકોનાં મોત થવા અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 17 OCT 2021 5:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયન સાથે વાતચીત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ વિશે ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી લોકોનાં મોત પર પણ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.

શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પ્રધાનમંત્રીએ કહ્યું; 

“કેરળના સીએમ શ્રી @vijayanpinarayi સાથે વાતચીત કરી અને કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની સ્થિતિ વિશે ચર્ચા કરી. અધિકારીઓ ઘાયલ અને પ્રભાવિતોની સહાયતા માટે સ્થળ પર કાર્યરત છે. હું તમામની સુરક્ષા અને કલ્યાણ માટે પ્રાર્થના કરૂં છું.

એ દુઃખદ છે કે કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવદેના.”

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1764552) Visitor Counter : 193