રાષ્ટ્રપતિ સચિવાલય

દુર્ગા પૂજાની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Posted On: 12 OCT 2021 4:10PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે દુર્ગા પૂજાની પૂર્વ સંધ્યાએ પોતાના સંદેશમાં કહ્યું છે:-

દુર્ગા પૂજાના શુભ પ્રસંગે, હું ભારત અને વિદેશમાં રહેતા અમારા બધા સાથી નાગરિકોને મારી શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું.

દેવી દુર્ગા શક્તિનું પ્રતીક છે અને નારી-શક્તિનું દિવ્ય સ્વરૂપ પણ છે. દુર્ગા પૂજા અનિષ્ટ પર સારાના વિજયની ઉજવણી છે. મા દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપો જીવન અને પ્રકૃતિના જોડાણના વિવિધ પાસાઓને રજૂ કરે છે.

આ તહેવારના અવસર પર ચાલો આપણે એવા સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ કરીએ જ્યાં મહિલાઓને પહેલા કરતા વધારે સન્માન આપવામાં આવે અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સમાન ભાગીદારી પ્રાપ્ત થાય.

હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ આનંદમય તહેવાર નાગરિકો વચ્ચે શાંતિ, બંધુત્વ અને એકતાની ભાવનાથી ચિહ્નિત થાય અને આપણે આપણા રાષ્ટ્રની સેવા અને પ્રગતિ માટે પોતાને સમર્પિત કરીએ.”

રાષ્ટ્રપતિનો સંદેશ જોવા માટે અહીં ક્લિક કરો -

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1763237) Visitor Counter : 275