સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 79 કરોડના સીમાચિહ્નને પાર


છેલ્લા 24 કલાકમાં 2.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા જે સૌથી વધુ રસીકરણનો આંકડો દર્શાવે છે

સાજા થવાનો દર હાલમાં 97.65%

છેલ્લા 24 કલાકમાં 35,662 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,40,639) કુલ કેસનાં 1.02% થયા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (2.02%) 85 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 18 SEP 2021 1:53PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 2.5 કરોડથી વધુ રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 79 કરોડ (79,42,87,699) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે.

સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, કુલ રસીકરણ 2.15 કરોડ છે, જ્યારે રાજ્યો દ્વારા નોંધાયેલ કુલ રસીકરણ 2.5 કરોડથી વધુ છે. આ 78,49,738 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. દૈનિક રસીકરણની સંખ્યા આજે દિવસ પછી અંતિમ રિપોર્ટના સંકલન સાથે અપડેટ થશે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,67,858

બીજો ડોઝ

86,96,165

FLWs

પ્રથમ ડોઝ

1,83,43,570

બીજો ડોઝ

1,44,00,387

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

32,12,63,332

બીજો ડોઝ

5,62,22,452

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

14,93,59,311

બીજો ડોઝ

6,77,70,267

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

9,61,06,803

બીજો ડોઝ

5,17,57,554

કુલ

79,42,87,699

 

આ શાનદાર સિદ્ધિ બદલ દેશને અભિનંદન આપતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ટ્વીટમાં કહ્યું:

"દરેક ભારતીયને આજના રેકોર્ડ રસીકરણ નંબરો પર ગર્વ થશે".

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002HVFX.png

કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ પણ આ રેકોર્ડ સિદ્ધિ બદલ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સફળતા દેશના આરોગ્ય કર્મચારીઓને સમર્પિત કરી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033DMW.png

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,26,32,222 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 33,798 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.65% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046DSX.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 35,662 નવા કેસ નોંધાયા છે.

83 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005D4W2.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,40,639 છે, સક્રિય કેસ કુલ કેસનાં 1.02% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0069PUH.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,48,833 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 55.07 કરોડથી વધારે (55,07,80,273) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.02% છે જે છેલ્લા 85 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.46% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 19 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 102 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007AB1V.jpg

SD/GP/BT

 

 



(Release ID: 1756028) Visitor Counter : 261