વહાણવટા મંત્રાલય

કોચીન શિપયાર્ડ લિમિટેડમાં હિન્દી પખવાડિયાની ઉજવણી

Posted On: 17 SEP 2021 3:18PM by PIB Ahmedabad

14થી 28 સપ્ટેમ્બર, 2021 દરમિયાન હિન્દી પખવાડિયા અંતર્ગત કોચીન શિપયાર્ડ લિમિટેડ (CSL) ના કર્મચારીઓ, તાલીમાર્થીઓ, કોન્ટ્રાક્ટ કામદારો અને પરિવારના સભ્યો વચ્ચે ઘણી સ્પર્ધાઓ યોજાઈ રહી છે. આ વર્ષની થીમ "આઝાદી કા અમૃત મહોત્સવ" છે.

સીએસએલ અને અન્ય એકમોના તમામ કર્મચારીઓ વચ્ચે 14.09.2021 ના રોજ હિન્દી ક્વિઝ સ્પર્ધા યોજાઈ હતી. કાર્યક્રમ માટે કુલ 96 કર્મચારીઓએ સક્રિય રીતે પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો. આ ક્વિઝ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓમાં સરકારી ભાષા અને સ્વતંત્ર ભારત વિશે સામાન્ય જાગૃતિ ફેલાવવાનો હતો.

16.09.2021ના રોજ 45 જેટલા કર્મચારીઓએ હિન્દી સુલેખન સ્પર્ધામાં સક્રિયપણે ભાગ લીધો હતો. આઝાદી કા અમૃત મહોત્સવના ટૂંકા સંક્ષિપ્ત વર્ણન સાથે થીમ આધારિત સુલેખન સ્પર્ધા માટે એક ફરકાનો લેખ લખવા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

 

SD/GP/BT



(Release ID: 1755727) Visitor Counter : 213