પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારતીય રમતોના ઈતિહાસમાં ટોક્યો પેરાલિમ્પિકનું હંમેશા વિશિષ્ટ સ્થાન રહેશેઃ પીએમ


ભારતે જીતેલા ચંદ્રકોની ઐતિહાસિક સંખ્યાથી આપણા હૃદય ખુશખુશાલ થયા છેઃ પીએમ

પ્રધાનમંત્રીએ અસાધારણ આતિથ્ય સત્કાર માટે જાપાનની સરકાર અને લોકોની પ્રશંસા કરી

Posted On: 05 SEP 2021 4:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતીય રમતોના ઈતિહાસમાં ટોક્યો પેરાલિમ્પિકનું હંમેશા વિશિષ્ટ સ્થાન રહેશે. તેમણે કહ્યું કે આપણા દળનો પ્રત્યેક સભ્ય એક ચેમ્પિયન અને પ્રેરણાનો સ્ત્રોત છે.


પ્રધાનમંત્રીએ ખેલાડીઓને સતત સમર્થન આપવા માટે આપણા એથ્લીટ્સના કોચ, સહયોગી સ્ટાફ તથા પરિવારોની પ્રશંસા કરી. તેમણે જાપાનના લોકો, ખાસ કરીને ટોક્યો અને જાપાની સરકારની તેમના અસાધારણ આતિથ્ય સત્કાર, વિસ્તૃત દૃષ્ટિ અને આ ઓલિમ્પિકના માધ્યમથી લચીલાપણુ તથા એકત્વનો સંદેશ ફેલાવવા માટે પ્રશંસા કરી.


શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં પ્રધાનમંત્રીએ કહ્યું;


“ભારતીય રમતોના ઈતિહાસમાં, ટોક્યો #Paralympicsનું હંમેશા એક વિશિષ્ટ સ્થાન હશે. રમતગગમત દરેક ભારતીયની સ્મૃતિમાં અંકિત રહેશે અને એથ્લીટ્સની પેઢીઓને રમતોને આગળ વધારવા પ્રેરિત કરશે. આપણા દળના પ્રત્યેક સભ્ય એક ચેમ્પિયન અને પ્રેરણાનો સ્ત્રોત છે.


ભારતે જેટલા પણ ચંદ્રકો જીત્યા છે, તેનાથી આપણા હૃદય ખુશહાલ છે. હું ખેલાડીઓને સતત સમર્થન આપવા માટે આપણા એથ્લેટ્સના કોચ, સહયોગી સ્ટાફ અને પરિવારોની પ્રશંસા કરવા માગું છું. અમે રમતોમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે પોતાની સફળતાઓનું નિર્માણ કરવાની આશા રાખીએ છીએ.


જેમકે મેં અગાઉ કહ્યું હતું, જાપાનના લોકો, ખાસ કરીને ટોક્યો અને જાપાની સરકારની તેમના અસાધારણ આતિથ્ય, વિસ્તૃત દૃષ્ટિ અને આ ઓલિમ્પિકના માધ્યમથી લચીલાપણું અને એકત્વના સંદેશને ફેલાવવા માટે પ્રશંસા થવી જોઈએ.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1752341) Visitor Counter : 290