સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 58 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 52 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં (97.57%) માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 30,948 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,53,398), 152 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1.09% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

દૈનિક પોઝિટિવિટી દર (1.95%) 27 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 22 AUG 2021 10:34AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 58 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 64,39,411 સત્રોનું આયોજન કરીને રસીના 58,14,89,377 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 52,23,612 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,53,366

બીજો ડોઝ

82,10,206

FLWs

પ્રથમ ડોઝ

1,83,03,885

બીજો ડોઝ

1,25,60,909

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

21,63,66,206

બીજો ડોઝ

1,93,27,127

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

12,24,63,403

બીજો ડોઝ

4,87,01,565

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,32,68,790

બીજો ડોઝ

4,19,33,920

કુલ

58,14,89,377

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,16,36,469 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 38,487 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 97.57% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013JFI.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 30,948 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029H67.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,53,398 છે 152 દિવસમાં સૌથી ઓછુ નોંધાયું, સક્રિય કેસ કુલ કેસનાં 1.09% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા નોંધાયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003IE49.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,85,681 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 50.62 કરોડથી વધારે (50,62,56,239) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.00% છે જે છેલ્લા 58 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.95% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 27 દિવસથી 3%થી ઓછો અને 76 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004EPHU.jpg

SD/GP/BT

 



(Release ID: 1748019) Visitor Counter : 259