કોલસા મંત્રાલય

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે CMPDIL, કોલસા મંત્રાલય દ્વારા બે દિવસીય હસ્તકલા પ્રદર્શન તેમજ વેચાણ મેળાનું આયોજન

Posted On: 19 AUG 2021 1:59PM by PIB Ahmedabad

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીના ભાગરૂપે ગઈકાલે કોલસા મંત્રાલય હેઠળ CMPDILના રવીન્દ્ર ભવનમાં બે દિવસીય હસ્તકલા પ્રદર્શન તેમજ વેચાણ મેળો શરૂ થયો હતો.

આ મેળામાં રાંચી જિલ્લાની આસપાસના ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ દ્વારા આકર્ષક રીતે ઉત્પાદિત જ્યુટ પ્રોડક્ટ્સ, ફ્રેમ, સ્મૃતિ ચિન્હ, લાકડાની હસ્તકલા, વાંસની હસ્તકલા, હેન્ડ બેગ અને ટેરા કોટા હસ્તકલા વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

આ પ્રદર્શનનો હેતુ પ્લાસ્ટિકના બનેલા માલના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો અને પર્યાવરણને અનુકૂળ કુદરતી સંસાધનો જેવા કે માટી, જ્યુટ, વાંસ વગેરેના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે જે પર્યાવરણના બગાડને અટકાવવામાં મદદ કરશે અને સ્થાનિક કારીગરો માટે આર્થિક મદદરૂપ પણ થશે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1747351) Visitor Counter : 341