સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 56 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં (97.52%) માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 35,178 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,67,415), 148 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1.14% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

દૈનિક પોઝિટિવિટી દર (1.96%) 23 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 18 AUG 2021 9:50AM by PIB Ahmedabad

ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગઈકાલે 56 કરોડ સીમાચિહ્ન પાર કરી ગયું. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, સંયુક્ત રીતે, 56,06,52,030 રસી ડોઝ 62,67,149 સત્રો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 55,05,075 રસી ડોઝ આપવામાં આવી હતી.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,51,471

બીજો ડોઝ

81,39,176

FLWs

પ્રથમ ડોઝ

1,82,91,828

બીજો ડોઝ

1,23,10,279

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

20,53,38,194

બીજો ડોઝ

1,66,89,475

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

11,96,50,340

બીજો ડોઝ

4,68,78,435

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,20,88,223

બીજો ડોઝ

4,09,14,609

કુલ

56,06,52,030

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.52% સુધી પહોંચી ગયો છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,14,85,923 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 37,169 દર્દીઓ સ્વસ્થ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00134G6.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 35,178 નવા કેસ નોંધાયા છે.

52 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0029TD1.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,67,415 છે. 148 દિવસમાં સૌથી ઓછુ નોંધાયું, સક્રિય કેસ કુલ કેસનાં 1.14% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા નોંધાયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003OB6A.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,97,559 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 49.84 કરોડથી વધારે (49,84,27,083) પરીક્ષણો કરવામાં આવ્યા છે.  

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.95% છે જે છેલ્લા 54 દિવસથી 3% થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.96% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 23 દિવસથી 3% થી ઓછો અને 72 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004DISX.jpg

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746846) Visitor Counter : 225