સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 56 કરોડને પાર
સાજા થવાનો દર હાલમાં (97.52%) માર્ચ 2020 બાદ સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 35,178 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,67,415), 148 દિવસમાં સૌથી ઓછું
સક્રિય કેસ કુલ કેસનાં 1.14% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા
દૈનિક પોઝિટિવિટી દર (1.96%) 23 દિવસથી 3% કરતા ઓછો
प्रविष्टि तिथि:
18 AUG 2021 9:50AM by PIB Ahmedabad
ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગઈકાલે 56 કરોડ સીમાચિહ્ન પાર કરી ગયું. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, સંયુક્ત રીતે, 56,06,52,030 રસી ડોઝ 62,67,149 સત્રો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 55,05,075 રસી ડોઝ આપવામાં આવી હતી.
આમાં સામેલ છે:
|
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,51,471
|
|
બીજો ડોઝ
|
81,39,176
|
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,82,91,828
|
|
બીજો ડોઝ
|
1,23,10,279
|
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
20,53,38,194
|
|
બીજો ડોઝ
|
1,66,89,475
|
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
11,96,50,340
|
|
બીજો ડોઝ
|
4,68,78,435
|
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
8,20,88,223
|
|
બીજો ડોઝ
|
4,09,14,609
|
|
કુલ
|
56,06,52,030
|
21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.52% સુધી પહોંચી ગયો છે.
રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,14,85,923 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 37,169 દર્દીઓ સ્વસ્થ થયા છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 35,178 નવા કેસ નોંધાયા છે.
52 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

સક્રિય કેસનું ભારણ આજે 3,67,415 છે. 148 દિવસમાં સૌથી ઓછુ નોંધાયું, સક્રિય કેસ કુલ કેસનાં 1.14% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા નોંધાયા.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,97,559 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 49.84 કરોડથી વધારે (49,84,27,083) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.95% છે જે છેલ્લા 54 દિવસથી 3% થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.96% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 23 દિવસથી 3% થી ઓછો અને 72 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1746846)
आगंतुक पटल : 283
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam