સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 53 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 57 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા

ભારતે સૌથી વધુ સાજા થવાનો દર 97.46% હાંસલ કર્યો

છેલ્લા 24 કલાકમાં 40,120 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,85,227) કુલ કેસના 1.20%

દૈનિક પોઝિટિવિટી દર (2.04%) 18 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 13 AUG 2021 10:22AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 53 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 60,40,607 સત્રોનું આયોજન કરીને રસીના 52,95,82,956 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 57,31,574 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,43,406

બીજો ડોઝ

80,50,401

FLWs

પ્રથમ ડોઝ

1,82,54,407

બીજો ડોઝ

1,19,88,029

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

18,80,51,247

બીજો ડોઝ

1,39,53,516

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

11,48,89,656

બીજો ડોઝ

4,44,21,296

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,00,90,640

બીજો ડોઝ

3,95,40,358

કુલ

52,95,82,956

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.46% સુધી પહોંચી ગયો છે. આ રોગચાળો શરૂ થયા બાદ ભારત દ્વારા પ્રાપ્ત થયેલ સૌથી વધુ રિકવરી રેટ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,13,02,345 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 42,295 દર્દીઓ સ્વસ્થ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ECTP.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 40,120 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002RQWV.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,85,227 છે. સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.20% છે જે માર્ચ 2020 બાદ સૌથી ઓછુ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003QDWL.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,70,495 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 48.94 કરોડથી વધારે (48,94,70,779) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.13% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.04% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 18 દિવસથી 3% થી ઓછો અને 67 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004FS0B.jpg

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1745336) Visitor Counter : 269