સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 38.76 કરોડને પાર


સાજા થવાનો દર વધીને 97.28% થયો

છેલ્લા 24 કલાકમાં 38,792 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,29,946; કુલ કેસના 1.39%

દૈનિક સકારાત્મકતા દર (2.10%) સળંગ 23 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 14 JUL 2021 11:07AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 38.76 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 49,10,876 સત્રોનું આયોજન કરીને રસીના 38,76,97,935 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 37,14,441 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,02,56,229

બીજો ડોઝ

74,47,783

FLWs

પ્રથમ ડોઝ

1,77,30,845

બીજો ડોઝ

1,00,52,409

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

11,64,12,064

બીજો ડોઝ

40,30,999

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

9,56,42,767

બીજો ડોઝ

2,54,39,376

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

7,13,45,634

બીજો ડોઝ

2,93,39,829

કુલ

38,76,97,935

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,01,04,720 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 41,000 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.28% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે. 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YRRZ.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 38,792 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002V84T.jpg

સક્રિય કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,29,946 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.39% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003IAS6.jpg

 

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,15,501 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 43 કરોડથી વધારે (43,23,17,813) પરીક્ષણો કરવામાં આવ્યા છે. 

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.25% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.10% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 23 દિવસથી ૩%થી ઓછો છે અને 37 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.  

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004P1K2.jpg

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1735296) Visitor Counter : 278