પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જનતાને પીપલ્સ પદ્મ માટે પ્રેરણારૂપ લોકોને નામાંકિત કરવા માટે કહ્યું

Posted On: 11 JUL 2021 11:03AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનતાને એવા લોકોને પદ્મ પુરસ્કાર માટે નામાંકિત કરવા માટે કહ્યું છે કે જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્ય કરી રહ્યા છે પરંતુ ઓછા જાણીતા છે. નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભારતમાં અનેક પ્રતિભાશાળી લોકો છે, જેઓ ભૂમિગત સ્તરે અસાધારણ કાર્યો કરી રહ્યા છે. ઘણીવાર, આપણે તેઓમાંથી ઘણા બધા વિશે જોઈ શકતા નથી કે સાંભળતા નથી. શું તમે એવા કોઈ પ્રેરણાદાયી લોકો વિશે જાણો છો? આપ તેમને #PeoplesPadma માટે નામાંકિત કરી શકો છો. નામાંકન પ્રક્રિયા 15 સપ્ટેમ્બર સુધી ખુલ્લી છે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1734556) Visitor Counter : 231