સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતની કોવિડ-19 રસીકરણ કવરેજ વધીને 33.57 કરોડ થયું છે


છેલ્લા 24 કલાકમાં 48,786 નવા કેસ સાથે, સતત ચાર દિવસ થી 5૦,૦૦૦ કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા

ભારતના સક્રિય કેસલોડ (5,23,257) કુલ કેસના માત્ર 1.72%

દૈનિક પોઝીટીવીટી દર (2.54%) સતત 24 દિવસ થી 5% કરતા ઓછો

Posted On: 01 JUL 2021 10:16AM by PIB Ahmedabad

એક મહત્વપૂર્ણ સફળતારૂપે, ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 33 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 44,75,791 સત્રોનું આયોજન કરીને રસીના 33,57,16,019 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 27,60,345 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,02,12,078

બીજો ડોઝ

72,56,031

FLWs

પ્રથમ ડોઝ

1,75,12,765

બીજો ડોઝ

95,16,814

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

9,16,00,418

બીજો ડોઝ

21,82,234

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

8,86,47,056

બીજો ડોઝ

1,63,14,943

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,81,27,563

બીજો ડોઝ

2,43,46,117

કુલ

33,57,16,019

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 48,786 કેસ નોંધાયા છે.

સળંગ 21 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 50 હજાર કરતાં ઓછી નોંધાઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે સ્થિતિમાં આ સુધારો જોવા મળ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001YK2W.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 5,23,257 નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં 13,807 દર્દીઓનો ચોખ્ખા ઘટાડો નોંધાયો છે અને હવે ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની  સંખ્યા 1.72% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C2IE.jpg

 

વધુને વધુ દર્દીઓ કોવિડ-19ના ચેપમાંથી મુક્ત થઇ રહ્યાં હોવાથી, ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો સતત 49મા દિવસે વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 61,588 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થનારાનો આંકડો લગભગ 12,000 (12,802) વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0038FIS.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,94,88,918 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 61,588 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 96.97% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004LU8R.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 119,21,450 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 41.20 કરોડથી વધારે (41,20,21,494) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.64% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.54% નોંધાયો છે. સળંગ 24 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0050C9J.jpg

 

****

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1731848) Visitor Counter : 239