પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી કે. વી. સંપત કુમારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 30 JUN 2021 6:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસ્કૃત સંસ્કૃત દૈનિક સુધર્માના સંપાદક શ્રી કે. વી. સંપત કુમારના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું, ‘શ્રી કે. વી. સંપત કુમારજી એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ હતા જેમણે ખાસ કરીને યુવાનોમાં સંસ્કૃતના સંરક્ષણ અને પ્રચાર માટે અથાગપણે કામ કર્યું હતું. તેમનું ઝનૂન અને દૃઢનિશ્ચયતા પ્રેરણારૂપ હતા. તેમના નિધનથી દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકોને સાંત્વના. ઓમ શાંતિ.”

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1731704) મુલાકાતી સંખ્યા : 301