પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કાનપુર માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે સહાયની જાહેરાત કરી

Posted On: 09 JUN 2021 8:35AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કાનપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલ મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

 

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ, પીડિતોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રીએ અકસ્માતમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમના માટે પીએમએનઆરએફ તરફથી 2 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 ની સહાયની જાહેરાત કરી છે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725499) Visitor Counter : 196