સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 16.54 કરોડથી વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 78 લાખ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 56 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 02 MAY 2021 11:38AM by PIB Ahmedabad

ભારત સરકારે દેશમાં કોવિડ-19 મહામારીના નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો સાથે મળીને “સંપૂર્ણ સરકાર”નો અભિગમ અપનાવીને પાંચ મુદ્દાની વ્યૂહનીતિનો અમલ કર્યો છે. સરકારની પાંચ મુદ્દાની આ વ્યૂહનીતિમાં રસીકરણ કવાયત એક અભિન્ન હિસ્સો રચે છે (બાકીના મુદ્દાઓમાં ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય વર્તણુકના પાલનનો સમાવેશ થાય છે).

દેશભરમાં કોવિડ-19 રસીકરણ માટે ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિનો 1 મે 2021થી પ્રારંભ કરવામાં આવ્યો છે. નવા પાત્રતા ધરાવતા વયજૂથના લાભાર્થીઓ માટે નોંધણીની પ્રક્રિયા 28 એપ્રિલના રોજથી શરૂ કરી દેવામાં આવી છે. સંભવિત લાભાર્થીઓ સીધા જ CoWIN પોર્ટલ (cowin.gov.in) પર જઇને અથવા આરોગ્યસેતૂ એપ્લિકેશનના માધ્યમથી રસીકરણ માટે નોંધણી કરાવી શકે છે.

ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને આજદિન સુધીમાં રસીના લગભગ 16.54 કરોડ (16,54,93,410) ડોઝ વિનામૂલ્યે પૂરાં પાડ્યાં છે. આમાંથી રસીના બગાડ સહિત 15,76,32,631 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા ડેટા અનુસાર).

કોવિડની રસીના 78 લાખ કરતાં વધારે ડોઝ (78,60,779) હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ આગળ વધારવા માટે ઉપલબ્ધ છે.

વધુમાં, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 56 લાખ કરતાં વધારે (56,20,670) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010VLI.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002NN2E.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TNTO.png https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004U2J7.png

 

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005GULD.jpg

SD/GP/JD



(Release ID: 1715487) Visitor Counter : 239