સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે આજદિન સુધીમાં રસીના 16.37 કરોડ કરતાં વધારે ડોઝ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે પૂરાં પાડ્યાં


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે હજુ પણ 79 લાખ કરતાં વધારે ડોઝ ઉપલબ્ધ

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ 17 લાખ જેટલાં ડોઝનો જથ્થો આગામી 3 દિવસમાં પ્રાપ્ત થશે

Posted On: 01 MAY 2021 11:40AM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી સામેની દેશની જંગમાં ભારત સરકાર અગ્રેસર રહી છે. મહામારી સામે લડવા માટે ભારત સરકારે ઘડેલી પાંચ મુદ્દાની વ્યૂહનીતિમાં રસીકરણ એક અભિન્ન ઘટકની રચના કરે છે (આ વ્યૂહનીતિમાં અન્ય ચાર મુદ્દામાં અન્ય ટ્રેસ, ટ્રેક, ટ્રીટ અને કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન સામેલ છે).

દેશમાં આજથી (1 મે 2021)થી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3નો અમલ શરૂ થઇ ગયો છે. નવા પાત્રતા ધરાવતા વસ્તી સમૂહો માટે નોંધણીની પ્રક્રિયા 28 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. સંભવિત લાભાર્થીઓ સીધા CoWIN પોર્ટલ (cowin.gov.in) પર અથવા આરોગ્ય સેતૂ એપ્લિકેશનની મદદથી તેમની નોંધણી કરાવી શકે છે.

આજદિન સુધીમાં ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના લગભગ 16.37 કરોડ (16,37,62,300) ડોઝ વિનામૂલ્યે આપ્યા છે. આમાંથી, કુલ 15,58,48,782 ડોઝનો વપરાશ થયો છે (આજે સવારે 8 વાગ્યા સુધીના ડેટા અનુસાર).

કોવિડની રસીના 79 લાખ કરતાં વધારે ડોઝ (79,13,518) હજુ પણ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણની કામગીરી આગળ વધારવા માટે ઉપલબ્ધ છે.

આ ઉપરાંત, આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 17 લાખ કરતાં વધારે (17,31,110) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010HPF.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JNY7.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003M6OP.png https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004J9R3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005T8T2.jpg

કોવિડ-19 રસીકરણના ઉદારીકૃત અને પ્રવેગિત તબક્કા-3ની વ્યૂહનીતિમાં ઉલ્લેખ કર્યા અનુસાર, તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તેમને રસીના કેટલા ડોઝ પ્રાપ્ત થશે તે અંગે કુલ આંકડો જણાવી દેવામાં આવ્યો છે. “ભારત સરકાર ચેનલ” દ્વારા 45 વર્ષ અને તેથી વધુ ઉંમરના લાભાર્થીઓને સંપૂર્ણપણે વિનામૂલ્યે રસીના ડોઝ આપવાના ભાગરૂપે આ ડોઝ તેમને આપવામાં આવી રહ્યાં છે.

નીચે આપેલા કોષ્ટકમાં “ભારત સરકાર ચેનલ” દ્વારા તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે ઉપલબ્ધ થનારા રસીના ડોઝની વિગતો આપવામાં આવી છે.

મે 2021ના પ્રથમ પખવાડિયા માટે ભારત સરકાર દ્વારા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ અનુસાર કોવિશિલ્ડ અને કોવેક્સિન રસીના ડોઝની કરવામાં આવેલી ફાળવણી નીચે પ્રમાણે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006K1T3.png

SD/GP/JD



(Release ID: 1715311) Visitor Counter : 246