સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તમિલનાડુ અને ગુજરાતમાં સતત દૈનિક ધોરણે નવા કેસોમાં વધારો થઇ રહ્યો છે


સક્રિય કેસોની વધુ સંખ્યા ધરાવતા રાજ્યોને વિશેષ સતર્કતા રાખવાની સલાહ

કોવિડ-19 વિરોધી રસીના લગભગ 1.5 કરોડ ડોઝ આપવામાં આવ્યા

છેલ્લા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી

Posted On: 02 MAR 2021 12:06PM by PIB Ahmedabad

ભારતમાં કોવિડના કુલ સક્રિય કેસોનું ભારણ આજે 1.68 લાખ (1,68,358) નોંધાયું છે કારણ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 12,286 પોઝિટીવ કેસ ઉમેરાયા છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ 1.51% છે.

નવા નોંધાયેલા 80.33% કેસો 5 રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસો નોંધાઇ રહ્યાં છે જ્યાં એક દિવસમાં વધુ 6,397 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 1,938 જ્યારે પંજાબમાં વધુ 633 કેસ પોઝિટીવ નોંધાયા છે. દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 67.84% કેસ માત્ર બે રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર અને કેરળમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0016IKC.jpg

સક્રિય કેસોનું ઘણું વધારે ભારત ધરાવતા તેમજ જ્યાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્ર સરકાર સતત જોડાયેલી છે. રાજ્યોને કોવિડ-19નું સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે સધન દેખરેખ જાળવી રાખવાની સલાહ આપવામાં આવી છે. અસરકારક પરીક્ષણ, વ્યાપક ટ્રેકિંગ, પોઝિટીવ મળેલા દર્દીઓના ત્વરિત આઇસોલેશન અને તેમના નજીકના સંપર્કમાં હોય તેમને તાત્કાલિક ક્વૉરેન્ટાઇન કરવા જેવી બાબતો પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે.

આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002WJIE.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033XJ4.jpg

 

દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 84.16% દર્દીઓ પાંચ રાજ્યોમાં છે. ભારતના કુલ સક્રિય કેસોમાંથી 46.82% કેસો માત્ર મહારાષ્ટ્રમાં જ છે જ્યારે તે પછીના ક્રમે 28.61% કેસો કેરળમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004GIWQ.jpg

છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે. રાષ્ટ્રીય સરેરાશ 2.00% છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સાપ્તાહિક પોઝિટીવિટી 10.02% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005QVSE.jpg

 

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 1,48,54,136 ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 67,04,613 આરોગ્ય સંભાળ કર્મચારી (HCW)ને પ્રથમ ડોઝ, 25,97,799 HCWને બીજો ડોઝ અને 53,44,453 અગ્ર હરોળના કર્મચારી (FLW)ને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તેમજ, 24,279 લાભાર્થીઓ 45 વર્ષથી વધુ ઉંમરના અને વિશેષ સહ-બીમારી ધરાવતા હોય તેમને પ્રથમ ડોઝ, 60 વર્ષથી વધુ ઉંમરના 1,82,992 લાભાર્થીને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.

રસીકરણ કવાયતના પ્રથમ 28 દિવસમાં જે લાભાર્થીએ કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ પ્રાપ્ત કર્યો હોય તેમને 13 ફેબ્રુઆરી 2021થી બીજો ડોઝ આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમજ, 2 ફેબ્રુઆરી 2021થી FLWનું રસીકરણ પણ શરૂ કરવામાં આવ્યું છે.

દેશમાં કોવિડમાંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 1.07 કરોડથી વધારે (1,07,98,921) થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં વધુ 12,464 દર્દીઓ સાજા થવાથી તેમને રજા આપવામાં આવી છે. ભારતમાં સાજા થવાનો દર 97.07% છે જે દુનિયામાં સર્વાધિક પૈકી એક છે.

નવા સાજા થયેલા 86.55% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં નવા 5,754 દર્દીઓ સાજા થયા છે જે સમગ્ર દેશમાં એક દિવસમાં સર્વાધિક આંકડો છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 3,475 જ્યારે તમિલનાડુમાં વધુ 482 દર્દીઓ સાજા થઇ ગયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006BJBK.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 91 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા મૃત્યુઆંકમાં 85.71% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (30) નોંધાયો છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ 18 જ્યારે કેરળમાં વધુ 13 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007FL9F.jpg

છેલ્લા 24 કલાકમાં ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડના-19ના કારણે દર્દીનું મૃત્યુ થયું હોવાનો એકપણ કેસ નોંધાયો નથી. આમાં પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, ઉત્તરાખંડ, બિહાર, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), સિક્કિમ, ત્રિપુરા, મણીપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી અને અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD

****



(Release ID: 1701893) Visitor Counter : 220