સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સ્થિર પથ પર અગ્રેસર, આજે 3.6 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા


પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) 26,016ની નવી ટોચ ઉપર

Posted On: 24 AUG 2020 1:31PM by PIB Ahmedabad

કોવિડ-19 રોગચાળા માટે ભારતના પ્રતિભાવનો મુખ્ય ઘટક એ સમયસર અને સઘન પરીક્ષણ દ્વારા પોઝિટીવ કેસની પ્રારંભિક ઓળખ છે. અસરકારક સારવાર સાથે તાત્કાલિક ઓળખ અને આઇસોલેશન એ કોવિડ-19માંથી સાજા થયેલા કેસની સંખ્યામાં વધારો અને ઘટતા મૃત્યુદર તરફ દોરી જાય છે.

ભારતમાં અત્યાર સુધીમાં 3,59,02,137 પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારત તેની પરીક્ષણ ક્ષમતા વધારવા માટેના સંકલ્પ અભિયાન પર અગ્રેસર છે, છેલ્લા 24 કલાકમાં 6,09,917 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.

દેશભરમાં વિસ્તૃત ડાયગ્નોસ્ટિક લેબોરેટરી નેટવર્ક દ્વારા પરીક્ષણની સરળ એક્સેસથી હાલની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ કેન્દ્રિત પ્રયાસોના પરિણામ રૂપે પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણો (TPM) માં 26,016નો તીવ્ર વધારો જોવા મળ્યો છે. TPM એ સતત વૃદ્ધિનું વલણ જાળવી રાખ્યું છે.

ડબ્લ્યુએચઓ દ્વારા “કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક ઉપાયોને સમાયોજિત કરવા માટેના જાહેર આરોગ્ય માપદંડ” પરની માર્ગદર્શિકા નોંધમાં જણાવ્યા મુજબ, ભારતમાં પણ પ્રત્યેક દસ લાખની વસતીએ પરીક્ષણોમાં વધારો જોવા મળ્યો છે. ડબ્લ્યુએચઓએ સલાહ આપી છે કે, શંકાસ્પદ કોવિડ-19  કેસ માટે વ્યાપક સર્વેલન્સ માટેના પગલા તરીકે દેશને 140 પરીક્ષણો / દિવસ / મિલિયન વસ્તીની જરૂર છે.

વિકસતી પરીક્ષણ વ્યૂહરચનાનો અગ્રણી નિર્દેશક એ દેશમાં નિરંતર વિસ્તૃત કરવામાં આવેલું ડાયગ્નોસ્ટિક લેબોરેટરી નેટવર્ક છે. સરકારી ક્ષેત્રમાં 984 લેબોરેટરી અને 536 ખાનગી લેબોરેટરી સહિત આ આજે 1520 લેબોરેટરીમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 785 (સરકારી: 459 + ખાનગી: 326)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 617 (સરકારી: 491 + ખાનગી: 126)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 118 (સરકારી: 34 + ખાનગી: 84)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

SD/GP/BT



(Release ID: 1648226) Visitor Counter : 237