સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે એક નવો વિક્રમ નોંધાવ્યો, એક દિવસમાં 9 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા


એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયા

સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ કરતા 13 લાખથી વધુ

Posted On: 18 AUG 2020 1:21PM by PIB Ahmedabad

ભારતે એક દિવસમાં કોવિડ-19ના પરીક્ષણો કરવામાં વધુ એક નવો વિક્રમ નોંધાવ્યો. એક દિવસમાં લગભગ 9 લાખ (8,99,864) જેટલા પરીક્ષણો કરવામાં આવ્યા, જે અત્યાર સુધી એક દિવસમાં કરવામાં આવેલ સૌથી વધુ પરીક્ષણો છે. આ સાથે જ સંચિત પરીક્ષણો પણ 3,09,41,264 થઇ ગયા છે.

આટલા વધુ પ્રમાણના પરીક્ષણો કરવા છતાં પોઝિટીવીટી સતત ઓછી રહી છે, સાપ્તાહિક રાષ્ટ્રીય સરેરાશ 8.84% હતી જે ઘટીને અત્યારે 8.81% થઈ છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 57,584 દર્દીઓ સાજા થયા છે, જે એક દિવસમાં સૌથી વધુ સાજા થવાનો આંક છે. જે આજ સમયગાળા દરમિયાન નોંધાયેલા સક્રિય કેસ (55,079) કરતા વધુ છે. વધુ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલ અને હોમ અઈસોલેશન (હળવા અને મધ્યમ કેસના કિસ્સામાં) માંથી રજા મળતા, ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 19 લાખ (19,77,779) ને પાર થઇ ગઈ છે. તેથી સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનું અંતર આજે 13 લાખ (13,04,613)ને પાર થઈ ગયું છે.  

સતત સરેરાશ એક દિવસમાં સાજા થયેલા દર્દીઓની વધતી સંખ્યાને લીધે ભારતમાં સાજા થવાનો દર 73.18% થઈ ગયો છે અને મૃત્યુદર (1.92%) નીચો રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારના કેન્દ્રિત અને સંયુક્ત પ્રયાસોના પરિણામે કેન્દ્ર સરકારની ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ વ્યૂહરચનાનું અસરકારક અમલીકરણ શક્ય બન્યું છે, તેમજ ૩૦ રાજ્યો / કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો નોંધાયો છે. સઘન પરીક્ષણના લીધે વહેલી તકે કોવિડના દર્દીઓની ઓળખ અને સક્રિય કેસનું આઇસોલેશન શક્ય બન્યું છે. આ સંયુક્ત તેમજ અસરકારક તબીબી સારવારે ઓછો મૃત્યુદર સુનિશ્ચિત કર્યો છે.

દેશમાં વાસ્તવિક કેસનું ભારણ એટલે કે સક્રિય કેસ (6,73,166) એ કુલ પોઝિટીવ કેસના માત્ર 24.91% છે. આ આંકડાઓ પણ સ્થિર ઘટાડો દર્શાવે છે.

દેશભરમાં વધીને રહેલ પરીક્ષણ લેબોરેટરીના નેટવર્કે એ સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં વ્યાપક પ્રમાણમાં પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. આજદિન સુધીમાં દેશમાં કુલ 1476 લેબોરેટરી કાર્યરત છે જેમાં 971 લેબોરેટરી સરકારી ક્ષેત્રમાં અને 505 ખાનગી ક્ષેત્રમાં કાર્યરત છે.  

આમાં સામેલ છે:

•       રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 755 (સરકારી: 450 + ખાનગી: 305)

•       TrueNat આધારિત પરીક્ષણની લેબ: 604 (સરકારી: 487 + ખાનગી: 117)

•       CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 117 (સરકારી: 34 + ખાનગી: 83)

 

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT 

 

 



(Release ID: 1646700) Visitor Counter : 212