સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં મૃત્યુદર (CFR) સતત ઘટી રહ્યો છે, તે 2.28% સુધી પહોંચ્યો


કુલ સાજા થયેલાનો આંકડો 9 લાખથી પણ વધુ થયો

સતત ચોથા દિવસે દૈનિક ધોરણે 30,000થી વધુ દર્દી સાજા થયા

Posted On: 27 JUL 2020 1:23PM by PIB Ahmedabad

સઘન પરીક્ષણ તેમજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન દ્વારા કોવિડથી અસરગ્રસ્ત દર્દીઓના વહેલા નિદાન અને આઇસોલેશન પર કેન્દ્ર તેમજ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા કરવામાં આવતા કેન્દ્રિત પ્રયાસોના પરિણામે દેશમાં કોવિડથી મૃત્યુ પામતા દર્દીઓનો દર સતત ઘટી રહ્યો છે અને સાજા થવાનો દર સતત સુધરી રહ્યો છે.

અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને દેખરેખ અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે દેશમાં કોવિડના કેસોનો મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાયો છે. દેશમાં મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 2.28% સુધી પહોંચ્યો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે.

ઉપરાંત, સતત ચોથા દિવસે દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30,000 કરતા વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 31,991 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. સાથે, દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 9 લાખનો આંકડો વટાવીને હાલમાં 9,17,567 સુધી પહોંચી ગયો છે. સાજા થવાનો સરેરાશ દર પણ વધીને 64% નોંધાયો છે.

ઓછો મૃત્યુદર અને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી સક્રિય કેસો (4,85,114)ની સરખામણીએ આજે સાજા થયેલા કેસોનો તફાવત વધીને 4,32,453 થઇ ગયો છે. હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા તમામ સક્રિય કેસોને સતત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/DS/BT



(Release ID: 1641489) Visitor Counter : 278