વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોવિડના ફેલાવાને અટકાવવા માટે Virucidal કોટિંગ

Posted On: 23 APR 2020 2:36PM by PIB Ahmedabad

ડૉ. અવિનાશ બજાજની અધ્યક્ષતામાં ફરીદાબાદ સ્થિતિ રીજનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ખાતે સંશોધકોની એક ટીમ દ્વારા કોવિડ-19ના પ્રસરણને અટકાવવા માટે વીરુઝાયડલ કોટિંગની રચના કરવા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.

અભ્યાસ ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટીટયુટ (THSTI)ના ડૉ. મિલન સુરજીત અને ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, દિલ્હીના ટેકસટાઇલ ટેકનોલોજી વિભાગના ડૉ. સમ્રાટ મુખોપાધ્યાયની સાથે સંકલન સાધીને હાથ ધરવામાં આવી રહ્યો છે. રીજનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી (RCB) યુનેસ્કોના ઉપક્રમ હેઠળ બાયોટેકનોલોજી વિભાગ, ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલ એક સંસ્થાન છે.

ડૉ બજાજનું જૂથ એન્ટીમાઈક્રોબાયલ મોલેક્યુલ્સની રચના કરવામાં તજજ્ઞતા ધરાવે છે કે જે પસંદગીયુક્ત રીતે માઈક્રોઓર્ગેનીઝ્મના પટલ ઉપર લક્ષ્ય સાધી શકે છે. અહી જૂથ પોતાની તજજ્ઞતાને એવા મોલેક્યુલ્સનું નિર્માણ કરવા તરફ લંબાવશે કે જે પસંદગીયુક્ત રીતે કોવિડ-19 વાયરલ પાર્ટીકલ્સના પટલ ઉપર લક્ષ્ય સાધી શકે. ત્યારબાદ મોલેક્યુલ્સનો ઉપયોગ વીરુઝાયડલ કોટિંગ પૂરું પાડવા માટે કોટન, નાયલોન અને પોલીએસ્ટર સહીતના કપડાઓ, ગ્લાસ અને પ્લાસ્ટિક જેવી જુદી જુદી સપાટીઓની રચના તૈયાર કરવા માટે કરવામાં આવશે કે જે સક્ષમ રીતે વાયરલ ટ્રાન્સમિશનને અટકાવી શકે.

રોગચાળા સામે લડવાના અન્ય એક પ્રયાસમાં કેન્દ્રમાં પ્રો દીપક ટી. નાયર દ્વારા સંચાલિત એક સંશોધન જૂથ બાબત શોધવા ઉપર સંશોધન કરી રહ્યું છે કે કઈ રીતે nsp12 પ્રોટીન નામના એક પ્રોટીનની પ્રવૃત્તિઓને કઈ રીતે અટકાવી શકાય કે જે SARS-CoV-2 વાયરસના RNA જીનોમના બેવડીકરણ માટે જવાબદાર RNA આધારિત RNA પોલીમરેઝની પ્રવૃત્તિને પોતાનામાં સમાવિષ્ટ કરે છે.

જૂથ દ્વારા nsp12 પ્રોટીનના ત્રિ પરિમાણીય માળખાના હોમોલોજી મોડલની રચના કરવા માટે કંપ્યુટેશનલ ટુલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યારબાદ મોડલનો ઉપયોગ nsp12 પ્રોટીનના શક્યતા ધરાવતા અવરોધકોને ઓળખી કાઢવા માટે કરવામાં આવ્યો હતો. અભ્યાસો આગાહી કરે છે કે વિટામીન B12નું મિથાઈલકોબાલેમીન સ્વરૂપને nsp12 પ્રોટીનની એક્ટીવ સાઈટ સાથે બાંધી શકાય અને તેની પ્રવૃત્તિને અવરોધી શકાય. જૂથ હવે હાયપોથીસીસને પ્રમાણભૂત સાબિત કરવા માટે વધુ આગળ પ્રયોગો હાથ ધરવાની તૈયારી કરી રહ્યું છે. જો તે અસરકારક સાબિત થશે તો મિથાઈલકોબાલેમીનને તાત્કાલિકપણે ફિલ્ડમાં દાખલ કરવામાં આવશે કારણ કે તે પહેલેથી ઘણી દવાઓના બંધારણનો એક હિસ્સો છે.

જુથે ઉચ્ચ પ્રવાહ ક્ષમતા પ્લેટની પરખ વિકસિત કરવા માટે nsp12 પ્રોટીનને શુદ્ધ કરવા માટેને પ્રયાસો પણ શરુ કર્યા છે કે જેનો ઉપયોગ પ્રોટીનના જુદા જુદા અવરોધકોને ઓળખી કાઢવા માટે કરી શકાય. અવરોધકો SARS-CoV-2 વાયરસ વિરુદ્ધ નોવલ ડ્રગ્સનું નિર્માણ કરવા માટે મુખ્ય મોલેક્યુલ્સ તરીકે કામ કરશે.

ઉપરાંત કંપ્યુટેશનલ ટુલ્સનો ઉપયોગ કરીને SARS-CoV-2 વાયરસમાંથી બે અન્ય પ્રોટીનના શક્ય અવરોધકોને ઓળખી કાઢવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. તેમાં nsp14નો સમાવેશ થાય છે કે જેની અંદર મિથાઈલટ્રાન્સફેરાસ અને એક્ઝોરીબોન્યુક્લીઝ પ્રવૃત્તિ અને nsp13 રહેલા છે કે જેમાં RNA હેલીકેસ પ્રવૃત્તિ છે.

SARS-CoV-2ના ઉપલબ્ધ જીનોમ સિક્વન્સની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે જેથી જીનોમમાં રીજનને ઓળખી શકાય, કે જેને તૈયાર કરી શકાય અને જીનોમના ટ્રાન્સલેશન અથવા રેપ્લીકેશનને વ્યગ્ર કરવા માટે નાના મોલેક્યુલ્સનો ઉપયોગ કરીને તેની ઉપર લક્ષ્ય સાધી શકાય.

અત્રે SARS-CoV-2 લાઈફ સાયકલના શક્ય અવરોધકોને ઓળખી કાઢવા માટે સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અને એક પ્રોમિસિંગ લીડ મોલેક્યુલને પહેલેથી ઓળખી કાઢવામાં આવ્યું છે બાબત નોંધીને વૈજ્ઞાનિકોએ બાબત તરફ દિશા નિર્દેશ કર્યો હતો કે કંપ્યુટેશનલ અભ્યાસોને પ્રમાણભૂત સાબિત કરી શકે તેવા પ્રયોગો હાથ ધરવા માટે જીવંત વાયરસની ઉપલબ્ધતા RCB ખાતે વર્તમાન સમયમાં ચાલી રહેલ મહામારી માટેની દવા શોધી કાઢવા માટેના પ્રયાસોને નોંધપાત્ર રીતે ટેકો આપશે.

ઉપરાંત કેન્દ્ર ખાતે SHC શાઈન બાયોટેકના ડૉ. પ્રિયંકા મૌર્ય સાથે વૈજ્ઞાનિકોનું એક જૂથ કોવિડ-19ને ઓળખી કાઢવા માટેના અત્યંત સંવેદનશીલ અને ચોક્કસ, ઝડપી, પોઈન્ટ ઓફ કેર, ઓછા સંસાધનોની જરૂર વાળા, કોલોરીમેટ્રિક અને સસ્તા ટેસ્ટને વિકસિત કરવા માટે કાર્ય કરી રહ્યું છે. અન્ય એક જૂથ બાયોહેવનના ડૉ. શૈલેન્દ્ર વ્યાસ સાથે RT PCR ડાયગ્નોસ્ટીક કીટ ઉપર, ત્રીજું જૂથ InnoDxના ડૉ. સંદીપ વર્મા સાથે મળી રેપીડ મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કીટ ઉપર અને ચોથું જૂથ NGIVDના ડૉ. સુરેશ ઠાકુર સાથે મળીને PCR આધારિત ઇન વિટ્રો ડાયગ્નોસ્ટીક કીટ તૈયાર કરવા ઉપર કાર્ય કરી રહ્યું છે.

 

GP/DS



(Release ID: 1617493) Visitor Counter : 206