આયુષ

કોવિડ-19ના સંકટ દરમિયાન પોતાની સારસંભાળ રાખવા માટે આયુષ મંત્રાલય દ્વારા પ્રસ્તુત રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઉપાયો

Posted On: 10 APR 2020 9:38PM by PIB Ahmedabad

આયુષ મંત્રાલયે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ અનેક ઉપચારાત્મક પગલાઓ પર એક માર્ગદર્શિકા જાહેર કરી છે. સંકટની આ ક્ષણોમાં આ માર્ગદર્શિકાનો ફરી એકવાર લોકો વચ્ચે મુકવામાં આવે છે.

31 માર્ચ, 2020ના રોજ જાહેર કરવામાં આવેલ આ માર્ગદર્શિકામાં નીચેના પાંચ મુખ્ય વિષયોને આવરી લેવામાં આવ્યા છે:

  1. માર્ગદર્શિકા જાહેર કરવા માટેની પૃષ્ઠભૂમિ:

કોવિડ-19 વિસ્ફોટના પગલે સમગ્ર વિશ્વમાં સંપૂર્ણ માનવજાત પીડાદાયક સ્થિતિમાં છે. શરીરની કુદરતી રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારવી એમહત્તમ આરોગ્ય જાળવવા માટે એક મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

આપણે સૌ જાણીએ છીએ કે સારવાર કરતા રોગને થતો અટકાવવો વધુ સારી બાબત છે. અત્યારના સમયમાં જ્યારે કોવિડ-19ની કોઈ દવા ઉપલબ્ધ નથી થઇ શકી ત્યારે જે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે તેવા પગલાઓ લેવા વધુ હિતકારી છે.

આયુર્વેદ એ જીવનનું વિજ્ઞાન હોવાના કારણે તંદુરસ્ત અને સુખી જીવન જાળવી રાખવા માટે કુદરતની ભેટોને પ્રચાર-પ્રસાર કરે છે. પ્રિવેન્શન કેરના આધાર પર રહેલું આયુર્વેદનું વ્યાપક જ્ઞાન એ તંદુરસ્ત જીવન જીવવા માટે  “દિનચર્યા” – રોજની પ્રવૃત્તિઓ અનેઋતુચર્યા” – ઋતુ અનુસારનું જીવન તેના ખ્યાલમાંથી આવે છે. મૂળભૂત રીતે તે વનસ્પતિ આધારિત વિજ્ઞાન છે. આયુર્વેદના સમગ્ર ગ્રંથોમાં વ્યક્તિની પોતાની માટેની જાગૃતતાની સરળતા અને વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિને જાળવી રાખીને તથા તેની ગુણવત્તા વધારીને દરેક વ્યક્તિ જે સુસંવાદીતા પ્રાપ્ત કરી શકે છે અને તેના પર ભાર મુકવામાં આવ્યો છે.

આયુષ મંત્રાલય રોગને થતો અટકાવવા માટેના આરોગ્યના પગલાઓ લેવા માટે અને શ્વાસોચ્છવાસના આરોગ્યના વિશેષ સંદર્ભમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કેટલીક સ્વ-કાળજી માટેની માર્ગદર્શિકાઓ (નીચેના પછીના ભાગોમાં આપવામાં આવેલ)ની ભલામણ કરે છે. આયુર્વેદિક સાહિત્ય અને વૈજ્ઞાનિક પ્રકાશનો દ્વારા તેને મંજૂરી આપવામાં આવી છે.

  1. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના કેટલાક સામાન્ય પગલાઓ:
  1. સમગ્ર દિવસ દરમિયાન હુંફાળું પાણી પીવો.
  2. આયુષ મંત્રાલય દ્વારા સૂચવવામાં આવ્યા અનુસાર દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનીટ માટે યોગાસન, પ્રાણાયામ અને ધ્યાન કરવાની આદત પાડો.
  3. હળદર, જીરું, ધાણા અને લસણ જેવા મસાલાઓની રસોઈ બનાવતી તેમાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી છે.
  1. આયુર્વેદિક રોગપ્રતિકારક શક્તિ વધારતા પગલાઓ:
  1. સવારના સમયે 10 ગ્રામ (1 ચમચી) ચ્યવનપ્રાશ લેવું. ડાયાબિટીસ ધરાવતા લોકોએ શુગર ફ્રી ચ્યવનપ્રાશ લેવું જોઈએ.
  2. તુલસી, તજ, મરી, સૂંઠ અને સૂકી દ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ટી / ઉકાળો દિવસમાં એક કે બે વાર પીવો. જો જરૂર પડે તો ગોળ (પ્રાકૃતિક ખાંડ) અથવા તાજો લીંબુનો રસ સ્વાદ અનુસાર નાખીને પી શકાય.
  3. સુવર્ણ દૂધ- અડધી ચમચી હળદર પાવડરને 150 મીલી ગરમ દૂધમાં નાખીને દિવસમાં એક કે બે વાર પીવું.
  1. સરળ આયુર્વેદિક પ્રક્રિયાઓ
    1. નસ્ય ક્રિયા સવારે અને સાંજે બંને નાકમાં (પ્રતિમર્શ નસ્ય) તલનું તેલ/ નારિયેળનું તેલ અથવા ઘી નાખવું.
    2. સ્નેહ ગંડુશ પ્રક્રિયા – 1 ચમચી તલનું અથવા નારિયેળનું તેલ મોઢાંમાં લેવું. તેને પીશો નહીં પરંતુ 2 થી ૩ મિનીટ સુધી મોઢામાં ગોળ-ગોળ ફેરવવું અને ત્યારબાદ કોગળો કરી બહાર થૂંકી નાખવું. પછી મોઢાંને હુંફાળા પાણીથી કોગળા કરી ધોઈ નાખવું. આ પ્રક્રિયા દિવસમાં એક અથવા બે વાર કરી શકાય.
  2. સૂકી ખાંસી/ ગળું સુકાતું હોય ત્યારે કરવા માટેની પ્રવૃત્તિઓ
  1. દિવસમાં એક વાર તાજા ફુદીનાના પાન અથવા અજમો પાણીમાં નાખીને વરાળ લઇ શકાય.
  2. ઉધરસ અથવા ગળામાં ઘસારો હોય તો દિવસમાં 2 થી ૩ વાર લવિંગના ભુક્કાને ગોળ અથવા મધ સાથે ભેળવીને લઇ શકાય.
  3. આ ઉપચારાત્મક પગલાઓ સામાન્ય ઉધરસ અને સુકા ગળાનો ઈલાજ કરે છે. આમ છતાં જો આ લક્ષણો યથાવત ચાલુ રહે તો ડૉક્ટરની સલાહ લેવી વધુ સારી રહેશે.

આયુષ મંત્રાલયની પહેલ બાદ કેટલીય રાજ્ય સરકારો દ્વારા પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા અને રોગને નિયંત્રણમાં રાખવા માટે પરંપરાગત ચિકિત્સા ઉપાયોઅંગે આરોગ્ય કાળજીની સલાહ આપી હતી કે જે ખાસ કરીને કોવિડ-19ના રોગચાળા વિરુદ્ધની પૃષ્ઠભૂમિમાં વિશેષ રૂપે પ્રાસંગિક છે.

ઉપરોક્ત માર્ગદર્શિકાની સાથે-સાથે આયુષ મંત્રાલયે સમગ્ર દેશના તમામ જિલ્લાઓમાં કોવિડ-19ને રોકવા માટે જિલ્લા સ્તર પર બની રહેલ આકસ્મિક આયોજનોમાં આયુષ મંત્રાલયના ઉપાયોને પણ આવરી લેવાની દરખાસ્ત કરી છે. કોવિડ-19ના પગલે જુદી-જુદી આયુષ પદ્ધતિઓના ચિકિત્સકો માટે એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે જેણે આરોગ્ય નિષ્ણાતો દ્વારા પુનઃનિરીક્ષણ કર્યા બાદ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવે તેવી શક્યતા છે.



(Release ID: 1613322) Visitor Counter : 1768