મંત્રીમંડળ

મંત્રીમંડળે કંપની (બીજો સુધારો) વિધેયક, 2019ને મંજૂરી આપી

Posted On: 04 MAR 2020 4:09PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કંપની કાયદા, 2013માં સુધારો લાવવા માટે કંપની (બીજો સુધારો)  વિધેયક, 2019ને મંજૂરી આપી છે.

 

આ વિધેયક અંતર્ગત નાદારીના એવા કેસો કે જેને હેતુપૂર્વક નિર્ધારિત કરી શકાય, જે અન્યથા છેતરપિંડીના ઇરાદાથી નથી અથવા મોટાપાયે જાહેરહિતમાં સંડોવાયેલ નથી તેની ગુનાખોરી દૂર કરશે. તેનાથી દેશમાં ગુનાખોરીમાં ન્યાય પ્રણાલીને આગળ ધરાવવામાં મદદ મળી શકશે. આ વિધેયકના કારણે કાયદાનું પાલન કરનારી કોર્પોરેટ કંપનીઓને કામ કરવામાં વધુ સરળતા કરી આપશે.

 

અગાઉ, કંપની (સુધારો) વિધેયક, 2015માં કાયદાની કેટલીક ચોકક્સ જોગવાઇઓમાં સુધારો કરવામાં આવ્યો હતો જેથી કાયદાની વિવિધ જોગવાઇઓના અમલીકરણમાં પડતી સમસ્યાઓનો નિકાલ લાવી શકાય.

 

SD/DS/GP



(Release ID: 1605159) Visitor Counter : 172