પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી પાંચમાં ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ઉદઘાટન કરશે
Posted On:
05 NOV 2019 3:02PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગ્યે પાંચમાં ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી કોલકાતામાં આયોજિત આ કાર્યક્રમને વીડિયો કોન્ફ્રરન્સના માધ્યમથી સંબોધિત કરશે.
લોકોને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ માટે જાગૃત કરવા, વિજ્ઞાન અને ટેકનોલોજીનાં ક્ષેત્રમાં ભારતના યોગદાનને પ્રદર્શિત કરવા અને લોકોના ફાયદા માટે તેનો પ્રચાર કરવો એ આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમાવેશી વિકાસ માટે એક રણનીતિ તૈયાર કરવી તેનો લક્ષ્ય છે.
આ વર્ષે મહોત્સવનો મુખ્ય વિષય છે – રાઇજન ઇન્ડિયા (RISEN India) એટલે કે રિસર્ચ (સંશોધન), ઇનોવેશન (નવાચાર) અને સાઇન્સ એમ્પાવરીંગ ધ નેશન (વિજ્ઞાન દ્વારા રાષ્ટ્રનું સશક્તીકરણ) છે.
DK/NP/DS/GP/RP
(Release ID: 1590469)
Visitor Counter : 112